કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 17 માર્ચે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે બેઠક દરમિયાન કશ્મીરી પંડિતો સહિત કશ્મીરી પ્રવાસીઓના પુનર્વાસની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી.
કાશ્મીર પંડિતોના પુનર્વાસ પ્રક્રિયાની સમીક્ષા
કાશ્મીરી પંડિતોના પુનર્વાસ ઘરોનું કામ આટલા ટકા થયું
સાત વર્ષમાં આટલી નોકરીઓ આપી
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે 17 માર્ચે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે બેઠક દરમિયાન કશ્મીરી પંડિતો સહિત કશ્મીરી પ્રવાસીઓના પુનર્વાસની પ્રક્રિયાની સમીક્ષા કરી હતી. અમિત શાહ સીઆરપીએફના 83માં સ્થાપના દિવસ પરેડમાં ભાગ લેવા જમ્મુ પહોંચ્યા હતા. આ દરમિયાન જાણવા મળ્યું છે કે, છેલ્લા સાત વર્ષમાં કશ્મીરી પંડિતો માટે પ્રસ્તાવિત ઘરોનું ફક્ત 17 ટકા કામ જ પુરૂ થયું છે. કેન્દ્રીય ગૃહમંત્રાલયના આંકડામાં આ જાણકારી સામે આવી છે.
2015માં કરવામાં આવી હતી આ જાહેરાત
એક અંગ્રેજી અખબારમાં જણાવ્યા અનુસાર વર્ષ 2015માં કશ્મીરી પંડિતો માટે 6000 ટ્રાંજિક હોમની ઘોષણા કરવામાં આવી હતી. તો વળી કેન્દ્રીય ગૃહમંત્રાલય અનુસાર ફેબ્રુઆરી 2022 સુધી તેમાં ફક્ત 1025 ઘરોનું નિર્માણ આંશિક અથવા પૂર્ણ રીતે પુરુ થયું છે. જ્યારે 50 ટકાથી વધારે એવા ઘર છે, જેના પર કામ શરૂ થવાનું બાકી છે.
3000 સરકારી નોકરીની પણ જાહેરાત
વર્ષ 2015માં ઘોષિત પ્રધાનમંત્રી ડેવલપમેંટ પેકેજ અંતર્ગત કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીરમાં કશ્મીરી પ્રવાસીઓ માટે 3000 સરકારી નોકરીઓને મંજૂરી દીધી હતી. જેણે અત્યાર સુધીમાં 1739 પ્રવાસીઓની નિમણૂંક થઈ ચુકી છે અને 1098 અન્યને નોકરીઓ માટે પસંદ કરી લેવામાં આવ્યા છે.
મનમોહન સરકારમાં આટલી નોકરી આપી
આ અગાઉ 2008માં મનમોહન સિંહ સરકાર દ્વારા પ્રવાસીઓ માટે આ રીતે રોજગાર પેકેજની ઘોષણા કરવામાં આવી હતી. જે અંતર્ગત 3000 નોકરીઓ આપવાની વાત કહેવામાં આવી હતી. જેમાંથી 2905 નોકરીઓના પદ ભરવામાં આવ્યા છે.
2023 સુધી કામ થઈ જશે પુરૂ
વધતા આતંકવાદી હુમલાના કારણે 1990 બાદથી મોટી સંખ્યામાં પંડિતો કશ્મીર ઘાટી છોડવા માટે મજબૂર થવું પડ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રાલય અનુસાર કેટલાય કશ્મીરી પ્રવાસી, કશ્મીરી ઘાટીના કુલગામ, મટ્ટન (અનંતનાગ), પુલવામા, કુપવાડા, બડગામ અને બારામૂલામાં ટ્રાંઝિટ ઘરોમાં રહે છે.
આ અગાઉ 9 માર્ચે કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે રાજ્યસભામાં શિવસેના સભ્ય પ્રિયંકા ચતુર્વેદીએ લખેલા એક પત્રમાં કહ્યું હતું.
આશા છે કે, તમામ ટ્રાંઝિક ઘરોનું નિર્માણ 2023 સુધીમાં પુરુ થઈ જશે. 1488 ઘરોનું કામ પુરુ થવાનું છે અને તે તમામ ઘર નિર્માણ અલગ અલગ ચરણોમાં છે. 2744 ઘરોના અંતિમ રૂપ આપી દેવામાં આવ્યું છે.
દર મહિને આટલા રૂપિયા મળે છે સહાય અને રાશન
મંત્રાલયે એક સંસદીય પૈનલને એવું પણ જણાવ્યું છે કે, રજીસ્ટ્રર્ડ કશ્મીરી પ્રવાસીઓ પ્રત્યેક પરિવાર 13,000 રૂપિયા અને સાથે 3250 રૂપિયા પ્રતિ વ્યક્તિ પ્રતિ મહિને મળે છે. સાથે જ દર મહિને તેમને રાશન પણ આપવામાં આવે છે.
વર્ષ 2020ની સંસદીય પેનલના રિપોર્ટ મુજબ જમ્મુ કાશ્મીરમાં 64,827 રજીસ્ટર્ડ પ્રવાસી પરિવાર છે. જેમાં 60, 489 હિન્દુ પરિવારસ 2609 મુસ્લિમ પરિવાર અને 1729 સિખ પરિવાર છે.
દેશના અલગ અલગ ભાગમાં વસવાટ કરે છે પંડિતો
64, 827 પરિવારોમાંથી 43, 494 પરિવારો જમ્મુમાં રજીસ્ટર્ડ છે, 19338 દિલ્હીમાં અને 1995 પરિવાર દેશના બીજા રાજ્યોમાં અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં વસેલા છે. તો વળી 43, 494 પ્રવાસી પરિવારમાંથી 5248 પરિવાર પ્રવાસી શિબિરોમાં વસવાટ કરે છે.
2019માં ભારત સરકાર દ્વારા જમ્મુ કાશ્મીરનો વિશેષ દરજ્જો ખતમ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ હવે તે એક કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયું છે.