કર્ણાટકના વિજયનગર જિલ્લામાં એક માનસિક વિકલાંગ ભિખારીના અંતિમ સંસ્કારમાં હજારો લોકો એકત્રિત થયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
માનસિક વિકલાંગ ભિખારીના અંતિમ સંસ્કારમાં હજારો એકત્રિત થયા
આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ થયો વાયરલ
હુચ્ચાને એક બસે મારી ટક્કર, હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત
હુચ્ચો એક રૂપિયાથી વધુ પૈસા લેતો ન હતો
સોશિયલ મીડિયામાં વિજય નગરના લોકોની ભાવનાના વખાણ કરવામાં આવી રહ્યાં છે. એક મીડિયા રિપોર્ટ મુજબ, આ ભિખારીનું નામ બસવ હતુ. તેને લોકો હુચ્ચા બસયા કહીને પણ બોલાવતા હતા. હુચ્ચા કોઈ પણ વ્યક્તિ પાસેથી એક રૂપિયાથી પણ વધુ પૈસા લેતો ન હતો. ભલે તેને વધુ પૈસા આપવામાં આવતા હોય. હુચ્ચાની મોત ગયા શનિવારે એક માર્ગ દુર્ઘટનામાં થઇ હતી. 12 નવેમ્બરે હુચ્ચાને એક બસે ટક્કર મારી હતી. હુચ્ચાને ઘાયલ અવસ્થામાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. જ્યાં તેનું મોત નિપજ્યુ. એક સ્થાનિક વ્યક્તિ મુજબ, હુચ્ચાની મોત બાદ ઘણાં સંગઠનો, દુકાનદાર અને લોકોએ આગળ આવીને અંતિમ સંસ્કાર માટે રૂપિયા એકત્રિત કર્યા. પછી હુચ્ચાની અંતિમ યાત્રામાં હજારો લોકો ઉમટ્યા.
એક સ્થાનિક વ્યક્તિ મુજબ, શહેરીજનોને હુચ્ચાની સાથે એક વિશેષ મૈત્રી હતી અને લોકો માનતા હતા કે હુચ્ચા બીજા લોકો માટે ભાગ્યશાળી છે. હુચ્ચા લોકોને અપ્પાજી કહીને બોલાવતો હતો. જેનો કન્નડમાં અર્થ થાય છે, પિતા. લોકો તેમની સાથે આત્મીય ભાવથી મળતા હતા અને પૈસા પણ આપતા હતા. જો કોઈ તેને વધુ રૂપિયા આપે તો તે પાછા આપી દેતો હતો અને તેની પાસે ફક્ત એક રૂપિયા રાખતો હતો.
રાજકીય લોકો પણ ઓળખતા હતા
હુચ્ચાને શહેરના લોકો તો ઓળખતા હતા. પરંતુ મોટા રાજકીય લોકો પણ તેમને ઓળખતા હતા. તેમને સારી રીતે ઓળખનારા લોકોમાં રાજ્યના પૂર્વ નાયબ મુખ્યમંત્રી એમપી પ્રકાશ અને પૂર્વ મંત્રી પરમેશ્વર નાઈકના નામનો પણ સમાવેશ થાય છે.