તુર્કીએ સાયપ્રસના મોટા વિસ્તાર પર કબજો કરી રાખ્યો છે
તુર્કીએ સાયપ્રસના એક મોટા હિસ્સા પર ઘણા દાયકાઓથી કબજો જમાવી રાખ્યો છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે પ્રસ્તાવ પણ રજૂ કર્યો છે તેમ છતાં પણ તુર્કી માનવા તૈયાર નથી.
જયશંકરે સાઈપ્રસ અંગે તુર્કીને સંભળાવ્યું
એસ.જયશંકરે સાયપ્રસના તેમના સમકક્ષ નિકોસ ક્રિસ્ટોડોલાઈડ્સ સાથે દ્વિપક્ષીય બેઠક કરી. આ સંબંધમાં તેમણે સાયપ્રસના સંબંધમાં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરીષદના પ્રાસંગિક પ્રસ્તાવોનું પાલન કરવાની જરુર પર ભાર મૂક્યો. જયશંકરે ટ્વિટ કરીને જણાવ્યું કે અમે આર્થિક સંબંધોને આગળ વધારવા પર કામ કરી રહ્યાં છે.
એર્ગોદાને યુએનમાં કાશ્મીર અંગે શું કહ્યું
એર્ગોદાને મંગળવારે સામાન્ય ચર્ચામાં તેમના સંબંધોમાં કહ્યું કે અમારુ માનવું છે કે કાશ્મીરની 74 વર્ષથી ચાલી રહેલા સમસ્યાને બન્ને પક્ષોના સંવાદ અને સંયુક્ત રાષ્ટ્રના પ્રાસંગિક પ્રસ્તાવો દ્વારા ઉકેલ લાવવો જોઈએ. ભૂતકાળમાં પણ એર્દોગાને સંયુક્ત રાષ્ટ્રમાં કાશ્મીર મુદ્દો ઉઠાવ્યો હતો જેની પર ભારતે વાંધો ઉઠાવ્યો હતો.
મુસ્લિમ દેશોના નેતા બનવા માગં છે એર્દોગાન
એર્દોગાન મુસ્લિમ વર્લ્ડમાં સાઉદી અરેબિયાને પડકાર આપવાનો સતત પ્રયાસ કરી રહ્યાં છે. ગત વર્ષે તેમણે મલેશિયાના તત્કાલીન પીએમ મહાતિર મોહમ્મદ અને પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનની સાથે મળીને નોન આરબ ઈસ્લામી દેશોનું ગઠબંધન તૈયાર કરવાની કોશિશ કરી હતી.