ફૂડ અને કન્ઝ્યૂમર અફેર મિનિસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું છે કે કેળા-ઇંડા પર કસ્ટમર્સને ઓવરચાર્જ કરી રહેલ હોટલોની આ ખોટી ટ્રેડ પ્રેક્ટિસ છે અને સરકાર એના માટે એમની પાસેથી સ્પષ્ટતા માંગશે.
સામાન્ય નાગરિકને નહીં પણ અમીર લોકોને પણ ફાઇવ સ્ટાર હોટલમાં જવાથી ડર લાગે છે. કારણ કે ફાઇવ સ્ટાર હોટલ્સ હદથી વધારે રૂપિયા વસૂલ કરે છે. તાજેતરમાં જ એવા ઘણા મામલા સામે આવી ગયા છે કે ત્યારબાદ હવે સરકાર પણ સજાગ થઇ ગઇ છે. થોડાક દિવસ પહેલા પણ રાહુલ બોસ પાસેથી ફાઇવ સ્ટાર હોટલે બે કેળાના 442 રૂપિયા ચાર્જ વસૂલાત કર્યો હતો. ત્યારબાદ મુંબઇમાં બોઇલ્ડ ઇંડા માટે 1700 રૂપિયા ચાર્જનો મામલો સામે આવ્યો, ત્યારબાદ સોશિયલ મીડિયા પર આ મામલો વાયરલ થઇ ગયો હતો અને સરકાર હોટલની જોરદાર ટીકા કરવામાં આવી રહી હતી.
હવે ફાઇવ સ્ટાર હોટલ ઇંડા અને કેળા અથવા બીજી ફૂડ આઇટમ પર ગ્રાહકો પાસેથી વધારે પૈસા હોટલના લોકો લઇ શકશે નહીં. કારણ કે હવેથી એમને એના માટે સરકારને જવાબ આપવો પડી શકે છે. મંગળવારે ફૂડ અને કન્ઝ્યૂમર અફેર મિનિસ્ટર રામ વિલાસ પાસવાને કહ્યું કે કેળા-ઇંડા પર કસ્ટમર્સને ઓવરચાર્જ કરી રહેલી હોટલોની આ ખોટી ટ્રેડ પ્રેક્ટિસ છે અને સરકાર એના માટે એમની પાસેથી સ્પષ્ટતા માંગશે.
પાસવાને કહ્યું કે કન્ઝ્યૂમર પ્રોટેક્શન એક્ટ હેછળ બનાવવામાં આવી રહેલા કાયદામાં આ સંબંધમાં ધારાઓ બનાવવામાં આવશે. વાસ્તવમાં પાસવાન તાજેતરમાં અભિનેતા રાહુલ બોસના એ વીડિયોના ઉલ્લેખ પર જવાબ આપી રહ્યા હતા. એમને કહ્યું કે સોશિયલ મીડિયા પર એવા રિપોર્ટ્સ ચાલી રહ્યા છે કે કેટલીક ફાઇવ સ્ટાર હોટલ ઇંડા અને કેળા પર ઓવરચાર્જ કરી રહી છે. આ ચીજો માર્કેટમાં ખૂબ જ સસ્તી ઉપલબ્ધ છે. આ હોટલ સર્વિસ ચાર્જ કેટલો લઇ રહ્યા છે એ ખૂબ મહત્વનું છે. આ ખોટી ટ્રેડ પ્રેક્ટિસ છે.