ગુજરાતમાં હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ માટે ટેક્ષ મુક્તિ આપી છે
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય
હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્ષથી મુક્તિ
1 એપ્રિલ 2021 થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ માટે ટેક્ષ નહી
કોરોના મહામારીમાં ધંધા-રોજગાર બંધ થઈ ગયા છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીનો વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. હોટલ, રીસોર્ટ્સ, રેસ્ટોરન્ટ્સ અને વોટરપાર્ક્સને પ્રોપર્ટી ટેક્ષમાંથી મુક્તિ આપી છે. 1 એપ્રિલ 2021થી 31 માર્ચ 2022 સુધીના એક વર્ષ માટે ટેક્ષ મુક્તિ આપી છે. આજે મળેલી કોરકમિટીની બેઠકમાં મહત્વનો નિર્ણય કરાયો છે. આ સાથે વીજબીલમાં ફિક્સચાર્જમાંથી મુક્તિ આપવાનો પણ નિર્ણય કરાયો છે. ખરેખર વીજ વપરાશ હોય તેના પર જ વીજબીલ આકારી ચાર્જ વસૂલાશે.
ગુજરાતમાં શું છે અનલોકની સ્થિતિ
ગુજરાતમાં આજથી શાળા-કોલેજોમાં ઓનલાઇન શિક્ષણની શરૂઆત થઈ છે. જ્યારે શિક્ષકો અને સ્ટાફ સ્કૂલમાં હાજર રહેશે. તો તમામ ખાનગી અને સરકારી ઓફિસો 100 ટકા સ્ટાફ સાથે શરૂ થયાં છે. તો વેપાર-ધંધા માટે પણ રાજ્ય સરકાર દ્વારા છૂટછાટ આપવામાં આવી છે. રાજ્યમાં આજથી તમામ પ્રકારના ધંધો સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ રાખી શકાશે.
એસટી, સિટી બસ 50 ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે
આજથી એસટી, સિટી બસ 50 ટકા પેસેન્જર સાથે ચાલુ રહેશે. જોકે સ્વિમિંગ પૂલ, જિમ, કોચિંગ ક્લાસ, સિનેમા થિયેટરો, ઓડિટોરીયમ, વોટર પાર્ક, બાગ-બગીચાઓ, સ્પા બંધ રહેશે. જ્યારે ધાર્મિક સ્થળો બંધ રહેશે, માત્ર પૂજારી પૂજાવિધિ કરી શકશે. તેમજ કોઇપણ પ્રકારના રાજકીય-સામાજિક કાર્યક્રમો યોજાશે નહીં.
ઓનલાઈન શૈક્ષણિક સત્રની થઈ શરૂઆત
આજથી શાળાઓમાં ઓનલાઈન શૈક્ષણિક સત્રની શરૂઆત થઇ છે. 100 ટકા શિક્ષકો સાથે ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું છે. શિક્ષકોએ સ્કૂલમાં પહોંચી ઓનલાઈન ક્લાસ શરૂ કર્યા. ત્યારે અમદાવાદની વિજયનગર સ્કૂલમાં વેકેશન બાદ પહેલો લેક્ચર લેવામાં આવ્યો હતો.
આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી થશે શરૂ
આવતીકાલથી સ્ટેચ્યૂ ઓફ યુનિટી ફરી શરૂ થશે. કોરોનાના કારણે સ્ટેચ્યૂ ઓફ યુનિટી પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યું હતું. જે હવે આવતીકાલથી પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવશે. જેને લઇને તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. કોરોના ગાઈડલાઈન સાથે પ્રાવસીઓને પ્રવેશ અપાશે. પ્રવાસીઓએ કોરોના ગાઈડલાઈનનું પાલન કરવું પડશે.
ગુજરાતમાં આજથી શું ખુલશે
- શાળા-કોલેજોમાં શિક્ષકોની હાજરી,ઓનલાઇન શિક્ષણ.
- સરકારી-ખાનગી કચેરીઓ 100% કર્મચારીઓ.
- તમામ પ્રકારના ધંધા સવારે 9થી સાંજે 6 સુધી ચાલુ.
- એસટી,સીટી બસ 50% પેસેન્જર સાથે ચાલુ રહેશે