વ્યાજખોરોની પઠાણી ઉધરાણીથી કંટાળીને હોટલના માલીકે આપઘાત કરી લેતા ચકચારમચી ગઇ છે. ત્રણ મહિના પહેલા મહેસાણાનો યુવક પરિવાર સાથે અમદાવાદમાં રહેવા માટે આવ્યો હતો અને તેને સોલા વિસ્તારમાં આવેલ સંસ્કાર ટાવરમાં ખોડલ નામની હોટલ શરુ કરી હતી. લોકો પાસેથી વ્યાજે લીધેલા રુપિયા સમયસર આપી ન શકતા આજે સવારે તેને હોટલમાં ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી.
ત્રણ ચાર મહિનાથી પરિવાર સાથે અમદાવાદ રહેવા માટે આવ્યા હતા
11 લોકોનાં કારણે આપધાત કર્યો હોવાનો ઉલ્લેખ
સમીરભાઇ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી
સોલા વિસ્તારમાં આવેલ સંસ્કાર ટાવરમાં એક યુવકે આત્મહત્યા કરી હોવાના સમાચાર પોલીસને મળતા સવારે સોલા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. સંસ્કાર ટાવરમાં આવેલ ખોડલ હોટલમાં સમીરભાઇ લિંબાંચીયા નામના વ્યકિતએ ગળેફાંસો ખાધો છે. સમીરભાઇ લિંબાચીયા મુળ મહેસાણાના છે અને છેલ્લા ત્રણ ચાર મહિનાથી પરિવાર સાથે અમદાવાદ રહેવા માટે આવ્યા હતા.
સમીરભાઇ લિંબાચીયા પાસેથી પોલીસને એક સ્યુસાઇડ નોટ પણ મળી આવી છે. જેમાં 11 લોકોનાં કારણે આપધાત કર્યો હોવાનો ઉલ્લેખ છે. સમીરભાઇ લિંબાચીયાએ વ્યાજખોર પાસેથી ઉંચાદરે વ્યાજે રુપિયા લીધા હતા જે સમયસર નહી આપતા તેમને આપધાત કરવાનો વારો આવ્યો છે.
આ મામલે સોલા પોલીસ સ્ટેશનના પીઆઇ જે.પી. જાડેજાનું જણાવ્યુ હતું કે સમીરભાઇ પાસેથી એક સ્યુસાઇડ નોટ મળી છે જેમાં તેમને 11 લોકોના નામનો ઉલ્લેખ કર્યો છે. સમીરભાઇની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી છે. ત્યારે હવે તેમના પરિવારના સભ્યો જ્યારે પોલીસ ફરિયાદ નોંધાવશે. ત્યારે 11 વ્યાજખોર વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરીશું.