સુરતના વરાછા રોડ વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું નિર્માણ થનાર છે
અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું થશે નિર્માણ
સુરતમાં અદ્યતન અતિથિગૃહ પણ બનાવવામાં આવશે
સમગ્ર પ્રોજેકટ પાછળ અંદાજે 200 કરોડ નો ખર્ચ થશે
સુરતના વરાછા રોડ વાલક પાટિયા ખાતે સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ દ્વારા 200 કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું નિર્માણ થનાર છે એવામાં આજે વડાપ્રધાન મોદી દ્વારા વીડિયો કોન્ફોરન્સના માધ્યમ થકી આ કામોનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અને મંત્રીઓ અને કેન્દ્રિય અને રાજ્ય કક્ષાના મંત્રીઓએ હાજરી આપી હતી.
અદ્યતન હોસ્ટેલ અને અતિથિગૃહનું થશે નિર્માણ
આ કાર્યક્રમમાં કેન્દ્ર ના આરોગ્ય મંત્રી મનસુખ મંડવીયા, કેન્દ્ર ના કૃષિ મંત્રી પુરુષોત્તમ રૂપાલા, કેન્દ્ર ના રાજ્ય કક્ષાના રેલ-ટેક્સટાઇલ મંત્રી દર્શના જરદોષ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીએ આર પાટીલ, રાજ્યકઝના ગૃહ મંત્રી હર્ષ સંઘવી, કૃષિ-ઉર્જા મંત્રી મુકેશ પટેલ સહિત સૌરાષ્ટ્ર પટેલ સમાજના અનેક આગેવાનો, ઉદ્યોગકારો પણ હાજર રહ્યા હતા.
સમગ્ર પ્રોજેકટ પાછળ અંદાજે 200 કરોડ નો ખર્ચ થશે
મહત્વનું છે કે 1500 વિદ્યાર્થીઓ અને 700 વિદ્યાર્થીનીઓના રહેવા જમવાની સવલત સાથે કરોડના ખર્ચે અદ્યતન હોસ્ટેલનું નિર્માણ થઈ રહ્યું છે જ્યારે અદ્યતન અતિથિગૃહ પણ બનાવવામાં આવશે આ પ્રોજેક્ટ પાછળ અંદાજીત 200 કરોડનો ખર્ચ થનાર છે, ત્યારે વડાપ્રધાન મોદીના હસ્તે આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
સુરતમાં અદ્યતન અતિથિગૃહ પણ બનાવવામાં આવશે
આપને જણાવી દઈએ કે સુરતમાં વિવિધ વિકાસના કામો હાથ ધરાનાર છે એવામાં આજે SMC, સુડા, આરોગ્ય વિભાગના કામોનું પણ ખાતમૂહુર્ત કરવામાં આવ્યું હતું સાથે સાથે મુખ્યમંત્રીના હસ્તે 3 નવી હોસ્ટેલનું અને 6 ઓક્સિજન પ્લાન્ટ, 16 નવી એમ્બ્યુલન્સનું પણ લોકાર્પણકરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા નવી શાળા બિલ્ડિંગ, આંગણવાડી, તેમજ ફાયર સ્ટેશન , ફાયર સ્ટાફ ક્વાર્ટર્સ, વાહન ડેપોનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.