ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં વધતા જતા કોરોનાના કેસોને લઈને હોસ્પિટલોમાં ખૂટતી સુવિધા ઉભી કરવા અને સ્ટાફને તાલીમ આપવા સહિતની કામગીરી હાથ ધરાઈ રહી છે.
ગુજરાતમાં કોરોનો ચિંતાજનક ઉછાળો
આરોગ્ય તંત્ર પણ આવ્યું હરકતમાં
હોસ્પિટલોમાં ખૂટતી સુવિધા ઉભી કરવા અને સ્ટાફને તાલીમ
કોરોનાને લઇને ગુજરાતમાં હાલ ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે. દિવસેને દિવસે વધતા કોરોના પોઝીટીવ કેસોને લઈ આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું છે. તેવામાં તાજેતરમાં કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા પરિપત્ર જાહેર કરી ગુજરાતમાં સહિત છ રાજ્યોમાં તાત્કાલિક આરોગ્ય વ્યવસ્થા ઉભી કરવા સૂચના અપાઈ હતી. બાદમાં હવે આ મામલે ગુજરાતના અધિક મુખ્ય આરોગ્ય સચિવ મનોજ અગ્રવાલએ નિવેદન આપી જણાવ્યું કે કોરોના સામે સાવચેતીના ભાગરૂપે કેન્દ્ર પાસેથી આગાઉ જ ડોઝની માંગણી કરી લેવામાં આવી છે. બીજી બાજુ તમામ હોસ્પિટલોને પણ સતર્ક રહેવા સૂચના આપી દેવામાં આવી છે. સાથે સાથે હોસ્પિટલમાં સ્ટાફને પણ જરૂરી તાલીમ આપી કોરોનાના ખતરાને ટાળવા પ્રયાસ કરાઈ રહયા હોવાનું મનોજ અગ્રવાલએ ઉંમર્યું હતું.
Gujarat has been also included in the letter by the Union Health Ministry. We have demanded precautionary doses from the centre. All hospitals have been informed to be prepared. Health workers have been given training and all the equipment tested. We are also asking the public to… https://t.co/PiCIMaHdaPpic.twitter.com/EwnnruOlEZ
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું
બીજો બાજુ આજે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં H3N2 ની પરિસ્થિતી વિશે જણાવ્યું છે કે, આ વાયરસની ગંભીરતાને કોરોના સાથે સરખાવવાની જરૂર નથી. H3N2 સીઝનલ ફ્લુની સારવાર વર્ષોથી રાજ્ય અને દેશમાં ઉપલબ્ધ છે. આ રોગથી સંક્રમિત દર્દીની સારવાર માટેની ઓસેલ્ટામિવીર દવા કારગત સાબિત થાય છે. જેનો 2,74,400 જેટલો જથ્થો રાજ્યના વેરહાઉસ ખાતે ઉપલબ્ધ છે. રાજ્યમાં 111 સરકારી લેબ અને 60 ખાનગી લેબમાં હાલ H1N1 સીઝનલ ફ્લુના ટેસ્ટીંગની સુવિધા ઉપલબ્ધ છે. વધુમા જરૂર જણાયે કુલ 200 થી વધુ લેબમાં ટેસ્ટીંગ સુવિધા ઉપલબ્ધ કરાવી શકાય તે પ્રકારનું સરકારે આયોજન હાથ ધર્યું છે.
મંત્રીએ વધુમાં કહ્યું હતુ કે, ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ અન H1N1 પોઝીટીવ આવે. ત્યારે તે દર્દીન H1N1 પોઝીટીવ ગણવામાં આવે છે. જ્યારે ઇન્ફ્લુએન્ઝા-એ પોઝીટીવ હોય અને H1N1 નેગેટીવ હોય. ત્યારે દર્દીને H3N2 શંકાસ્પદ પોઝીટીવ ગણીને સારવાર હાથ ધરવામાં આવે છે.
સીઝનલ ફ્લુ ના નીચે મુજબના લક્ષણો જણાતા શું કરવુ
શરીરનો દુખાવો, માથાનો દુખાવો, ઝાડા અને ઉલ્ટી સાથે અથવા હળવો તાવ અને ઉધરસ તેમજ ગળામાં દુખાવો.
કેટગરી – એ ના લક્ષણો દેખાય તો શું કરવું ?
જેમાં ઓસેલ્ટામાવીર દવા લેવાની જરૂર નથી
આઈસોલેશનમાં રહેવું તેમજ અન્ય વ્યક્તિઓનો સંપર્ક ટાળવો
સિઝનલ ફ્લુ પરીક્ષણની જરૂરી નથી.
કેટેગરી- બી ૧
કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત ભારે તાવ અને ગળામાં સખત દુખાવો અને ખાંસી
કેટેગરી- બી ૨
કેટેગરી- એનાં તમામ લક્ષણો ઉપરાંત હાઇ રીસ્ક સ્થિતિ
ઉંમર ૬૫ વર્ષથી વધુ
ગર્ભાવસ્થા
૫ વર્ષથી નાની વયના બાળકો
શ્વસનતંત્રની બીમારી
લાંબાગાળાનાં હૃદય, કિડની, લીવર અને કેન્સરની બીમારી ધરાવતા દર્દી