યુપીના કાનપૂરથી અમદાવાદ આવી રહેલી બસને સંચેડી પાસે અકસ્માત નડતાં 16 લોકોનાં મોત થયા હતા
કાનપૂરથી અમદાવાદ આવી રહી હતી બસ
બસ સાથે લોડર ટકરતાં પલટી ખાધી, 16ના મોત
ખાનગી બસ, લોડર અને ટેમ્પો વચ્ચે અકસ્માત
રાષ્ટ્રીય રાજમાર્ગો પર સડક દુર્ઘટનાની વિભિષિકાઓ થંભવાનું નામ નથી લઈ રહી, ત્યારે હવે ઉત્તરપ્રદેશના કાનપૂરમાં ભીષણ દુર્ઘટના સર્જાઈ છે,બસ કાનપૂરથી અમદાવાદ તરફ આવી રહી હતી ત્યારે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો, આ ગમખ્વાર અકસ્માતમાં ઓછામાં ઓછા 16 લોકોના મોત થયાં છે. દુર્ઘટનામાં પાંચ પ્રવાસીઓ ગંભીર રીતે ઘાયલ થયાના અહેવાલ છે.
શું બની ઘટના ?
આ અકસ્માત બસ અને લોડર વચ્ચે થયો હતો, લોડર સાથે અથડાયા બાદ બસ પલટી ગઈ હતી, અકસ્માતમાં ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, તો રાહત અને બચાવ કાર્ય પણ યુદ્ધના ધોરણે હાથ ધરાયુ છે.
પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરી સંવેદના વ્યક્ત કરી
કાનપુર અકસ્માત બાદ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કરીને દુ:ખ વ્યક્ત કર્યું હતું. વડાપ્રધાને ટ્વિટ કર્યું હતું કે કાનપુરમાં માર્ગ અકસ્માત ખૂબ જ દુ:ખ છે. આ અકસ્માતમાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે. હું તેમના પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું અને ઘાયલોને ઝડપથી સ્વસ્થ થવાની પ્રાર્થના કરું છું.
कानपुर में हुई सड़क दुर्घटना अत्यंत दुखद है। इस हादसे में कई लोगों को अपनी जान गंवानी पड़ी है। मैं उनके परिजनों के प्रति अपनी संवेदना व्यक्त करता हूं, साथ ही घायलों के जल्द से जल्द स्वस्थ होने की कामना करता हूं: PM @narendramodi
આ સાથે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ભંડોળમાંથી મૃતકના સગાઓને બે લાખ રૂપિયા સહાય અને ઘાયલોને 50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.
Prime Minister @narendramodi has announced an ex-gratia of Rs. 2 lakh each from the PMNRF for the next of kin of those who have lost their lives due to a tragic accident in Kanpur, Uttar Pradesh. Rs. 50,000 would be provided to those injured.
ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના પર ગંભીર દુખ વ્યક્ત કરીને મૃતકોના પરિજનોને સાંત્વના પાઠવી હતી, સાથે અધિકારીઓને તમામ પ્રકારની મદદ પૂરી પાડવાનો આદેશ આપ્યો હતો.