મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભીષણ અકસ્માત થયો. પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે એક ઓટો રિક્ષાને ટક્કર મારી છે. આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત થયા. જ્યારે કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં ભીષણ અકસ્માત
પૂરપાટ ઝડપે આવી રહેલી ટ્રકે એક ઓટો રિક્ષાને ટક્કર મારી
ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત થયા
આ અકસ્માત એટલો ભયાનક હતો કે, ટ્રકની ચપેટમાં આવવાથી ઓટો રિક્ષાનો કચ્ચરઘાણ વળી ગયો હતો. તથા તેમા બેઠેલા લોકોમાં 6 લોકોના મોત થયા છે. જ્યારે ઘાયલોમાં મોટાભાગના ગંભીર બતાવાઇ રહ્યા છે.
પ્રાપ્ત જાણકારી અનુસાર, જિલ્લાના કોલારસ વિધાનસભાના પૂરનખેડી ટોલ પાસે ફોરલેન પર સ્થિત એક મંદિર પાસે એક ઓટો રિક્ષાની બે ટ્રકો સાથે ટક્કર થઇ. બેકાબૂ ટ્રકે પાછળથી આવી રહેલી ઓટોને ટક્કર મારી, જેથી ઓટો રિક્ષા આગળ જઇ રહેલી ટ્રકમાં ઘુસી ગઇ હતી. બંને તરફ ટક્કર થવાને કારણે ઓટો રિક્ષા કચળાઇ ગઇ હતી.
અકસ્માતમાં ઘાયલોને જિલ્લા હોસ્પિટલ પહોંચાડ્યા છે. ઘટના સ્થળે પહોંચેલી પોલીસે અકસ્માતની તપાસ કરી રહી છે. પ્રાથમિક જાણકારીમાં સામે આવ્યું છે કે, આ ભીષણ અકસ્માતમાં 6 લોકોના મોત થયા છે. જોકે, પોલીસ દ્વારા હાલ મૃતકોને લઇને પૃષ્ટી કરી નથી.