શુક્રવારની સવાર સાંઈ ભક્તો માટે ખૂબ જ ભયાનક હતી. પચાસ મુસાફરોને લઈને શિરડી જઈ રહેલી લક્ઝરી બસનો નાસિક-શિરડી હાઈવે પર જીવલેણ અકસ્માત સર્જાયો હતો. બસ અને ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા 10 મુસાફરોના મોત થયા છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે.
શિરડી દર્શને જતા મુસાફરોને નડ્યો અકસ્માત
10 મુસાફરોના મોત, 40 ઈજાગ્રસ્ત
ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયા
મહારાષ્ટ્રમાં નાસિક-શિરડી હાઈવે પર શુક્રવારે સવારે એક ભયાનક અકસ્માત સર્જાયો છે. જેમાં 10 મુસાફરોના કરૂણ મોત નીપજ્યાં છે, જ્યારે 40 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે. મળતી માહિતી અનુસાર, મુંબઈને અડીને આવેલા ઉલ્હાસનગર, અંબરનાથ અને થાણેના ઘણા શ્રદ્ધાળુઓ શિરડી સાંઈ બાબાના દર્શન કરવા માટે નીકળ્યા હતા. આ તમામ લોકો લક્ઝરી બસમાં દર્શન માટે જઈ રહ્યા હતા. આ બસમાં 50 મુસાફરો સવાર હતા.
બસ અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાઈ
આ દરમિયાન સિન્નર-શિરડી હાઈવે પર પાથેર ગામ નજીક બસ અને ટ્રક સામ-સામે ધડાકાભેર અથડાઈ હતી. ટક્કર એટલી જોરદાર હતી કે બસ અને ટ્રક બંનેને ભારે નુકસાન થયું છે. આ અકસ્માતને કારણે બસમાં સવાર ઘણા મુસાફરોને ગંભીર ઈજાઓ પહોંચી હતી.
Maharashtra | 10 people died and several others injured after a bus carrying Sai Baba devotees collided with a truck near Pathare on Nashik-Shirdi Highway: Nashik Police pic.twitter.com/Xel2Irb0vc
10 લોકોના ઘટનાસ્થળે જ કરૂણ મોત
જ્યારે 10 લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા હતા. મૃતકોમાં 7 મહિલાઓ અને 3 પુરૂષો છે. ઈજાગ્રસ્તોને નજીકની સાંઈબાબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. કેટલાકની હાલત ગંભીર છે. પોલીસ અને પ્રશાસનના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. અકસ્માતના કારણોની તપાસ કરવામાં આવી રહી છે અને મૃતકોની ઓળખ કરવામાં આવી રહી છે.
CM એકનાથ શિંદેએ વ્યક્ત કર્યું દુઃખ
મુખ્યમંત્રી એકનાથ શિંદેએ નાસિક-શિરડી હાઈવે પર સર્જાયેલા અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ તેમણે મૃતકોના પરિવારજનોને 5-5 લાખ રૂપિયાની આર્થિક સહાયની પણ જાહેરાત કરી છે. આ સિવાય મુખ્યમંત્રીએ આ ભયાનક માર્ગ અકસ્માતની તપાસના આદેશ પણ આપ્યા છે.
नाशिक शिर्डी महामार्गावर झालेल्या खासगी बसचा अपघात अत्यंत दुर्दैवी आहे. या दुर्घटनेत मृतांच्या कुटुंबीयांना प्रत्येकी पाच लाखांची मदत जाहीर करण्यात आले असून जखमींवर शासकीय खर्चाने वैद्यकीय उपचार देण्यात येणार आहेत. तसेच या अपघाताच्या चौकशीचे निर्देश प्रशासनाला दिले आहेत.
— Eknath Shinde - एकनाथ शिंदे (@mieknathshinde) January 13, 2023