આજે વૃષભ રાશિના લોકોને નોકરી અને રોકાણથી લાભ થશે. આ કામ કરવાથી મળી જશે મોટી રાહત. જાણો તમારો કેવો રહેશે દિવસ.
આજનું પંચાંગ
07 05 2022 શનિવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ છઠ્ઠ (બપોરે 02.56 પછી સાતમ)
નક્ષત્ર પુનર્વસુ (બપોરે 12.16 પછી પુષ્ય)
યોગ શૂળ (સાંજે 07.56 પછી ગંડ)
કરણ તૈતુલ (બપોરે 02.56 પછી ગરજ)
રાશિ કર્ક (ડ,હ)
----------------------
દેવદર્શન - ઝંડ હનુમાન મંદિર
વડોદરા અને પંચમહાલ એમ ત્રણ જિલ્લાના ત્રિકોણિયા સંગમ સ્થાન એવા હિડિમ્બા વનમાં અવેલા જાંબુઘોડા અભ્યારણમાના જંગલમાં સવ્યંભુ પર્વતની એક જ શિલામાંથી પ્રસ્થાપિત 18 ફુટની હનુમાનજીની પ્રતિમા ધરાવતા ઝંડ હનુમાન મંદિર છે. બોડેલીથી પાવાગઢ રોડ ઉપરથી આશરે 12 કીમીના અંતરે આ મંદિર આવેલુ છે.
એવું કહેવાય છે કે હનુમાન દાદાની આ એક જ મુર્તી એવી છે કે જેમાં હનુમાન દાદાના પગ નીચે શનીદેવની આખી મુર્તી હોય જેથી આ મહાત્મય મહાબલીના દર્શનાર્થે ગુજરાતભરમાથી શ્રધાળુઓ અહી આવી પોતાની મનોકામના પૂરી કરે છે
આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે અહિ આવતા દર્શ્નાર્થીઓ અને ભક્તો પૈકી મોટાભાગના આદીવાસીઓ છે અને તેમની આ હનુમાન જી પ્રત્યેની શ્રદ્ધા પણ અતુટ છે. પોતાના ખેતરમા થયેલ પાકનો પ્રથમ તેઓ હનુમાનજીને ચઢાવો કરે છે. અને ત્યારબાદ પાકને ઉતારે છે.
આ મંદિરના મહંતની વાત માનીએ તો આ વિસ્તાર હિડિમ્બા વન તરીકે ઓળખાય છે. અહી પાંડવ યુગમા એટલે કે ઈ સ 1600ની સદીમાં આ વિસ્તારમાં હિડિમ્બા નામની રાક્ષસણીનો દબદબો હતો અને તેજ સમયે અહી પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન આવેલા અને અહી લાંબા સમય સુધી પાંડવો રોકાયા હતા. પાંડવોએ અહીં પસાર કરેલ અજ્ઞાતવાસ દરમિયાનના કેટલાક પ્રાચિન અવશેષો આજે પણ અહીં મોજુદ છે.
શુભાંક - આજનો શુભ અંક છે 7
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
--------------------------------------- મેષ (અ.લ.ઈ.)
વાહન મશીન વગેરેથી સંભાળવું
સારા શુભ સમાચાર મળશે
કરેલા રોકાણથી લાભ થશે
કામકાજમાં ફાયદો થશે
વૃષભ (બ.વ.ઉ.)
નોકરી અને રોકાણથી લાભ થશે
યાત્રા-પ્રવાસથી લાભ થાય
પરોપકારના કામ કરવાથી શાંતિ મળે
માનસિક બેચેની જણાશે
મિથુન (ક.છ.ઘ.)
જોખમવાળા કામથી દૂર રહેવું
ખર્ચનું પ્રમાણ અધિક જણાશે
શત્રુથી સામાન્ય પરેશાની જણાશે
અજાણ્યા વ્યક્તિનો વિશ્વાસ ના કરવો