આજનો દિવસ મિથુન રાશિના લોકો માટે ખૂબ જ સારો રહશે, આ લોકોને થશે આર્થિક લાભ. જાણો શું કહે છે તમરું રાશિ ભવિષ્ય.
શનિવાર
માસ વૈશાખ
પક્ષ શુક્લ
તિથિ તેરસ (બપોરે 03.22 પછી ચૌદસ)
નક્ષત્ર ચિત્રા (સાંજે 05.26 પછી સ્વાતિ)
યોગ સિદ્ધિ (બપોરે 12.57 પછી વ્યાતાપતા)
કરણ તૈતુલ (સાંજે 03.22 પછી ગરજ)
રાશિ તુલા (ર,ત)
---------------------- દેવ દર્શન - કેમ્પ હનુમાન મંદિર, અમદાવાદ
અંગ્રેજોના રાજ્યમાં કેમ્પ હનુમાનજી મંદિર જલાલપુરા ગામના હનુમાન મંદિર તરીકે ઓળખાતુ હતું. અમદાવાદ શહેરમાં ગાયકવાડની હવેલી આર્મી કેન્ટ હતી. ત્યાંથી અંગ્રેજોએ હનુમાન મંદિર પાસે આર્મી થાણુ સ્થાપ્યું. મંદિર પાસે તેમની હોસ્પિટલ પણ હતી. એક અંગ્રેજ અમલદારે મંદિરના પૂજારીઓને મંદિર ખસેડવાની વાત કરી પણ ભક્તોએ અને પુજારીઓએ ઈન્કાર કર્યો.
અંગ્રેજોએ મંદિર પાસેની ચાર ધર્મશાળાઓ તોડી નંખાવી, નાના મંદિરો તોડયા અને કેમ્પના હનુમાનજી મંદિરને તોડવા હુકમ કર્યો. આ સાથે જ લાખો કાળા અને પીળા ભમરાઓ આવીને મંદિર ફરતે દીવાલ પર રક્ષણ માટે ગોઠવાઈ ગયા. અંગ્રેજ અમલદારે એક અઠવાડિયા સુધી ભમરાઓને દૂર કરવા માટે મજૂરો મોકલ્યા. ભમરાઓ ફક્ત મજુરો પર જ હુમલો કરતા હતા. આ જોઈને અંગ્રેજ અમલદારે પણ નાછૂટકે આ ઘટનાને શ્રી હનુમાનજી દાદાનો ચમત્કાર સમજીને નિર્ણય બદલવો પડયો કે આ મંદિર હવે અહીં જ રહેશે.
અંગ્રેજી શાસનકાળમાં આર્મીના એક અંગ્રેજ ઓફિસરને પણ હનુમાનજીનો ચમત્કાર થયો હતો. તેઓશ્રીએ સત્તાના મદમાં મંદિરના ભક્તો, પુજારીને હેરાન કરવા માંડ્યા. ત્યારે અચાનક ચમત્કાર થયો અને પોતે જ માનસિક અને શારીરિક પીડાથી પરેશાન થયા અને મનન ચિંતન કરતા તેને લાગ્યું કે ભગવાનના મંદિરને, ભક્તોને અડચણો આપવાથી હું દુ:ખી થયો છું. ત્યારે એક રોજ સવારે પાંચ વાગ્યે મંદિરના દ્વાર ખુલતા જ પ્રભુ પાસે આવીને બેસી ગયા. પ્રભુ અને પુજારી પાસે ક્ષમા માંગી અને મંદિર વિરુદ્ધ સત્તાનો દુરુપયોગ કરવાનું બંધ કર્યું.
શુભાંક - આજનો શુભ અંક છે 5
શુભ રંગ - આજનો શુભ રંગ રહેશે વાદળી અને રીંગણી
શુભ સમય - આજે શુભ સમય બપોરે 12.05 થી 12.49 સુધી રહેશે
રાહુ કાળ - આજે રાહુકાળ રહેશે સવારે 9.45 થી 11.06 સુધી
શુભ દિશા - આજે શુભ દિશા છે ઉત્તર
અશુભ દિશા - આજે અશુભ દિશા છે પૂર્વ-ઈશાન ખૂણો
રાશિ ઘાત - વૃષભ, સિંહ, કન્યા, મીન
------------------- મેષ (અ.લ.ઈ.)
નોકરીયાત વર્ગને શાંતિ જણાશે
કામકાજમાં સામાન્ય ઉચાટ જણાશે
વિવાદિત કાર્યોથી દૂર રહેવું
તબિયત બાબતે કાળજી રાખવી
વૃષભ (બ.વ.ઉ.)
સંતાનોના પ્રશ્નોમાં સમાધાન મળશે
દામ્પત્ય જીવનમાં સામાન્ય અશાંતિ જણાશે
કામકાજમાં ઓછો સહયોગ મળશે
ધંધા-વેપારમાં સાચવીને કામ કરવું