કોરોના વાયરસની દવા સંબંધિત અનેક પ્રયોગો અને પરીક્ષણો ચાલુ છે. આને ધ્યાનમાં રાખીને છેલ્લા કેટલાક દિવસોથી એન્ટીવાયરલ રેમેડેસિવીર દવાનો ઉપયોગ કોરોનાના દર્દીઓ પર કરવામાં આવી રહ્યો હતો. હવે છેલ્લા અહેવાલ મુજબ આ દવા તેની પ્રથમ રેન્ડમાઇઝ્ડ ક્લિનિકલ ટ્રાયલમાં નિષ્ફળ ગઈ છે. અગાઉ એવી આશા રાખવામાં આવી હતી કે કોવિડ -19 ની સારવારમાં રેમેડેસિવીર અસરકારક સાબિત થઈ શકે છે, પરંતુ ચીનમાં આ દવા સફળ થઈ ન હતી.
કોરોનાને લઈને આવ્યા નિરાશાજનક સમાચાર
ચીનમાં પરીક્ષણમાં આ દવા રહી નિષ્ફળ
એન્ટીવાયરલ રેમેડેસિવીર દવાનો ઉપયોગ રહ્યો નિષ્ફળ
ચીનમાં આ અસફળ ટ્રાયલનો ડ્રાફ્ટ ડોક્યુમેન્ટ અચાનક જ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવ્યો હતો. જે મુજબ દવા દ્વારા દર્દીઓની સ્થિતિમાં કોઈ સુધારો થયો નથી અને ન તો તે દર્દીના લોહીથી સૂક્ષ્મજંતુઓ ઘટ્યો હતો. આ રિપોર્ટથી લોકોની આશાઓને ઝટકો લાગ્યો છે. અમેરિકાની બાયોટેક્નોલોજી કંપનીએ આ સ્ટડીને ખોટો ગણાવ્યો છે.
આ સ્ટડીમાં શું છે?
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને ક્લિનિકલ ટ્રાયલ ડેટાબેસ પર રેમડેસિવીર દવાનું ટ્રાયલ અસફળ થવા સંબંધી વિવરણ છાપ્યા બાદ આ ન્યૂઝ ઝડપથી ફેલાઈ રહી છે. જો કે આ પોસ્ટને ઝડપથી હટાવી લેવામાં આવી છે. WHO એ પણ પુષ્ટી કરી છે કે ડ્રાફ્ટ રિપોર્ટ ભૂલથી અપલોડ થયો હતો.
દવાની આડઅસરના કારણે થયું પરીક્ષણ બંધ
આ ડ્રાફ્ટ મુજબ સંશોધનકારોએ 237 દર્દીઓનો અભ્યાસ કર્યો હતો. તેમાંથી, 158 દર્દીઓને રેમેડિસિવર દવા આપવામાં આવી હતી અને તેમની પ્રગતિની તુલના બાકીના 79 દર્દીઓ સાથે કરવામાં આવી હતી, જેને પ્લેસબો આપવામાં આવ્યા હતા. એક મહિના પછી, રિમેડિસિવર લેનારા દર્દીઓમાં 13.9 ટકા લોકો મૃત્યુ પામ્યા હતા, જ્યારે પ્લેસબો લેનારાઓમાં 12.8 ટકા હતા. આ દવાના આડઅસરોને કારણે, તેનું પરીક્ષણ ટૂંક સમયમાં બંધ થઈ ગયું હતું. અધ્યયન મુજબ, રિમેડિસિવીર ડ્રગ ક્લિનિકલ અથવા વાયરોલોજીકલ ફાયદા સાથે સંકળાયેલ નથી.
કંપની શું કહે છે?
ગિલિયડ કંપનીએ WHO ની આ પોસ્ટને નકારી છે. કંપનીના પ્રવક્તાએ કહ્યું, "અમને લાગે છે કે આ અભ્યાસ અયોગ્ય રીતે પોસ્ટ કરવામાં આવ્યો હતો." આ આંકડાકીય રીતે યોગ્ય નહોતું અને ટૂંક સમયમાં બરતરફ કરાયું હતું. તેમણે કહ્યું, 'આ અધ્યયનના નિર્ણાયક પરિણામો આવવાના બાકી છે. જો કે, ડેટા બતાવે છે કે કોરોના દર્દીઓમાં જેને પ્રારંભિક સારવારમાં જ રિમેડિસિવીર આપવામાં આવ્યા હતા, તેના સંભવિત ફાયદા દર્શાવ્યા છે. તમને જણાવી દઈએ કે ઇબોલાની સારવારમાં ડ્રગ રેમેડિસિવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.