લોકસભા ચૂંટણી 2019માં બીજા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી દેશવાસીઓને કહ્યું છે કે મને આશા છે કે આજે જે બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે ત્યાં મતદાન કરીને લોકતંત્રને વધુ મજબૂત કરશો.
લોકસભા ચૂંટણી 2019માં બીજા તબક્કાનું મતદાન આજે થઇ રહ્યું છે. આ અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટ કરી દેશવાસીઓને કહ્યું છે કે મને આશા છે કે આજે જે બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે ત્યાં મતદાન કરીને લોકતંત્રને વધુ મજબૂત કરશો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટવિટરના માધ્યમથી આશા વ્યક્ત કરી છે કે વધુમાં વધુ યુવા મતદાતાઓ મતદાન કેન્દ્ર પર જઇ મતદાન કરશે. ઉલ્લેખનીય છે કે આજે દેશના 11 રાજ્ય સહિત કેન્દ્ર શાસિત પ્રદેશની 95 બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે.
જો કે સવારે 9 વાગ્યા સુધીના મતદાનના આંકડાઓ પરથી ઓછું મતદાન થયું હોવાનું સામે આવી રહ્યું છે. દેશભરમાં 1.81 લાખ મતદાન કેન્દ્ર પર સાંજે પાંચ વાગ્યા સુધી મતદાન યોજાશે. આ બીજા તબક્કામાં યોજાનારા ત્રિપુરા-પૂર્વ લોકસભા બેઠક પર સુરક્ષાના કારણે 23 એપ્રિલે મતદાન થશે. આ બીજા તબક્કામાં 15.80 કરોડ મતદારો, 1,602 ઉમદવારોના ભવિષ્ય નક્કી કરશે.
લોકસભા ચૂંટણી 2019ના બીજા તબક્કાના મતદાનનો પ્રારંભ થઇ ગયો છે. બીજા તબક્કામાં 12 રાજ્યની 95 બેઠક પર મતદાનની શરૂઆત થઇ ગઇ છે. બીજા તબક્કામાં તમિલનાડૂની 38, કર્ણાટકની 14, મહારાષ્ટ્રની 10, ઉત્તર પ્રદેશની 8, અસમ, બિહાર અને ઓડિશાની 5-5, છત્તીસગઢ તથા પશ્ચિમ બંગાળની 3-3, જમ્મૂ-કાશ્મીરની 2 અને મણિપુર અને પોંડિચેરીની એક-એક બેઠક પર મતદાન યોજાઇ રહ્યું છે. આ સાથે ઓડિશાની 35 વિધાનસભા બેઠક પર પણ મતદાન કરવામાં આવી રહ્યું છે.
ક્યાં કઇ બેઠક પર થશે મતદાન...
બિહારઃ કિશનગંજ, કટિહાર, પૂર્ણિયા, ભાગલપુર તેમજ બાંકા
ઓડિશાઃ બાઢગઢ, સુંદરગઢ, બોલીંગીર, કંધમાલ તેમજ અસ્કા
પશ્ચિમ બંગાળઃ જલપાઇગુડી, દાર્જિલિંગ તેમજ રાયગંજ
છત્તીસગઢઃ રાજનાંદગાંવ, મહાસમુંદ તેમજ કાંકેર
જમ્મૂ-કાશ્મીરઃ શ્રીનગર તેમજ ઉધમપુર
અસમઃ કરીમગંજ, સિલચર, માંગલોઇ, નગાંવ તેમજ ઓટોનોમસ ડ્રિસ્ટ્રિકટ
મણિપુરઃ ઇનર મણિપુર
ત્રિપુરાઃ ત્રિપુરા
ઉત્તર પ્રદેશની આઠ લોકસભા બેઠક
ઓડિશાની 35 વિધાનસભા બેઠક માટે મતદાન