દાંડીયાત્રા પહેલા મીડિયા સાથેની વાતચીતમાં મોદી સરકાર પર કર્યાં પ્રહાર
લોકશાહીની સામે ખતરો પેદા થયો છે-અશોક ગેહલોત
ગેહલોતે ક હ્યું કે લોકશાહીની સામે ખતરો પેદા થયો છે. દેશની સ્થિતિ એવી બની ગઈ છે કે તમામ એજન્સીઓ સરકારની પકડમાં આવી ગઈ છે. સ્વાયત્ત સંસ્થાઓ જેવી કે ચૂંટણી પંચ, જ્યુડિશિયરી, ઈડી અને આઈટી વિભાગ પર સકંજો કસાયો છે. જો કોઈ સરકાર સાથે અહસમતી વ્યક્ત કરે તો તેમને દેશદ્રોહી જાહેર કરી દેવામાં આવે છે.
અશોક ગેહલોતે આગળ જણાવ્યું કે પીએમ મોદીએ સંઘ પ્રમુખ મોહન ભાગવતની સલાહ લેવી જોઈએ. દેશને એક રાખવો છે, અખંડ રાખવો છે તો સાચા માર્ગે આવી જાય અન્યથા લોકો સાચા માર્ગે લાવી દેશે. આજે અણએરિકા સ્વિડનમાં શું લખાઈ રહ્યું છે. તમે હકીકતમાં 56 ઈંચની છાતી દેખાડો. તમારે તમામ વર્ગના લોકોને સાથે લઈને ચાલવું જોઈએ. મોહન ભાગવત હિંદુઓની વાત કરે છે પરંતુ આજે પણ અસ્પૃશ્યતા માનવજાતિ પરનું કલંક છે. મોહન ભાગવત અને આરએસએસ અસ્પૃશ્યતા નાબૂદીનું કામ કરવું જોઈએ. જો ખરેખર તેઓ પોતાની જાતને હિંદુ માનતા હોય તો તેમણે સૌથી પહેલા અસ્પૃશ્યતાને ખતમ કરવી જોઈએ.
આશા છે કે આજે ખેડૂતો અંગે મોદીનો આત્મા જાગી ઉઠશે
ગેહલોતે કહ્યું કે કૃષિ કાયદા અંગે ગેરસમજ ફેલાઈ છે તો તેનાથી શું ફર્ક પડશે. છ મહિના સુધી કાયદો પાછો લઈ લો. રાજ્ય સરકારો, ખેડૂતો સાથે વાત કરીને તેમને વિશ્વાસમાં લઈને ફરી વાર નવા કાયદા લઈ આવો. સંવેદનશહિનતાની પરકાષ્ઠા આવી ચૂકી છે. ખેડૂતોને આંદોલન કર્યે 4 મહિનાનો સમય થયો છે આખા દેશમાં ગુસ્સો છે. આ આખા મામલામાં ખેડૂતો ચાર મહિના સુધી ઠંડીમાં બેસી રહ્યાં. 200 કરતા વધારે ખેડૂતો માર્યા ગયા. તેમના પરિવાર પર શું વીતી હશે. મોદી આજે સાબરમતીમાં દાંડીયાત્રા શરુ કરી રહ્યાં છે. મને આશા છે કે ગાંધીજીને યાદ કરીને મોદીનો આત્મા જાગી ઉઠશે અને સાંજ સુધીમાં તેઓ નિર્ણય કરે તો ખુશી થશે.