અમદાવાદ: ઊંઝાના ધારાસભ્ય આશાબેન પટેલે પદ પરથી રાજીનામુ આપ્યુ છે. ત્યારે કોંગ્રેસ દ્વારા આશાબેનને પક્ષમાં ફરી પરત લાવવા માટે કવાયત શરૂ કરવામાં આવી છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના નેતાઓ દ્વારા આશાબેનને પક્ષમાં ફરીથી લાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
""સ્વાથૅ જીતશે કે સ્વાભિમાન""
રણચંડીના રૂપ સમાન "આશાપુરા"
ઉપર મને હજુય આશા છે..
જનાદેશનો ઉલાળિયો કરીને નવરા
થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ
એકનો ઉમેરો કરવાની ભાજપાની
આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.!
આશાબેનને સંગઠનમાં સ્થાન આપવાની વાતને કોંગ્રેસના હાઈકમાન્ડે મંજૂર કરી છે. મહત્વનું છે કે આશાબેને પટેલે વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીને રાજીનામુ આપ્યું હતું.
આ સાથે જ આશાબેને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાને પત્ર લખ્યો હતો. આ પત્રમાં આશાબેને લખ્યુ છે કે રાહુલ ગાંધીની આગેવાનીમાં પણ પક્ષ લોકોનું મન જીતવામાં નિષ્ફળ રહ્યું છે. સાથે જ પાર્ટી તરફથી સહકાર ન મળતા હોવાના આશાબેને આક્ષેપ કર્યા હતા.
@paresh_dhanani એ #Aashaben ની નારાજગીને લઇને ટ્વીટ કર્યુ છે. આ સાથે જ તેમણે #BJP પર તીખા પ્રહાર કર્યા અને કહ્યું કે રણચંડીના રૂપ સમાન "આશાપુરા" ઉપર મને હજુય આશા જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની @BJP4India ની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા pic.twitter.com/WTD5m0YxOP
તો આ તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ આશાબેનની નારાજગીને લઇને ટ્વીટ કર્યુ છે. આ સાથે જ તેમણે ભાજપ પર તીખા પ્રહાર કર્યા છે. પરેશ ધાનાણીએ કહ્યું છે કે રણચંડીના રૂપ સમાન "આશાપુરા" ઉપર મને હજુય આશા છે.. જનાદેશનો ઉલાળિયો કરીને નવરા થઇ ગયેલાં નેતાઓની નાતમાં વધુ એકનો ઉમેરો કરવાની ભાજપાની આશા ઠગારી નિવડે એવી અપેક્ષા.! જય જય ગરવી ગુજરાત.