સુરત: કતારગામમાં અનોખો સન્માન સમારોહ યોજાયો હતો. ધોરણ 10-12માં નાપાસ થયેલા વિધાર્થીઓને પ્રોત્સાહિત કરવા તેઓને સન્માનિત કરાયા હતા. સાથે વિધાર્થીઓને પ્રેરણાદાયી વાતો થકી જીવનમાં કેમ આગળ વધવું તેવી શીખ અપાઈ હતી.
વરાછા વિસ્તારના યુવકોએ માણસ કલા સંસ્થાના નેજા હેઠળ નિષ્ફળ મેળવનાર વિધાર્થીઓનું સન્માન હરેકૃષ્ણ ડાયમંડના સવજી ધોળકીયા અને જાણીતા મોતીવેટર સંજય રાવલ અને કથાકાર જીગ્નેશ દાદા દ્વારા સન્માનિ કરાયા હતા.
પાસ થયેલા અને એમાંય 90 ટકા ઉપર માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓનું બધા સન્માન કરતા હોય છે. પરંતુ જે વિદ્યાર્થીઓ નપાસ થાય જોય તેની સામે લોકો નિષ્ફળતાનું લેબલ લગાવી વાત કરે છે તેમાં ઘણા કિસ્સામાં વાત આત્મહયા સુધી પહોંચતી હોય છે.
પરંતુ સુરતના કતારગામ વરાછા વિસ્તારના યુવાનોએ માણસ કલા સન્માન સંસ્થાના નેજા હેઠળ નિષ્ફળતા મેળવનાર વિદ્યાર્થીઓનું સન્માન હરેકૃષ્ણ ડાયમંડના સવજી ધોળકિયા અને જાણીતા મોતીવેટર સંજય રાવલ અને કથાકાર જીગ્નેશ દાદા દ્વારા સન્માનિત કરાયા હતા.
નાપાસ થનાર વિદ્યાર્થીઓ ડોબા જ હોય તેવી માન્યતા ખોટી છે. આવા વિદ્યાર્થીઓમાં બીજા અનેક પ્રકારના હુન્નર કે આવડત હોય છે. આવા વિદ્યાર્થીઓને તેમનામાં રહેલી ટેલેન્ટની જાણકારી મળે અને માત્ર પરીક્ષાના માર્ક્સ જ જીવન નથી તેવી સમજણ મળી રહે તે આજના કાર્યક્રમનો હેતુ હતો.