કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગુજરાત પોલીસના અધિકારીનું સન્માન ATSના DIG દીપન ભદ્રનને સન્માન મળશે. કેંદ્રીય ગૃહમંત્રાલય દ્વારા અસાધારણ આસૂચના કુશલતા પદક એનાયત કરવામાં આવશે.
ગુજરાતના પોલીસકર્મીઓનું સન્માન
કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી અપાશે પદક
ગુજરાત ATSના DIG દિપન ભદ્રનને મળશે મેડલ
PI કિરણ ચૌધરીને પણ કરાશે સન્માનિત
ગુજરાત પોલીસ બેડા માટે ખુશીના સમાચાર છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગુજરાત પોલીસના અધિકારીનું સન્માન કરશે. ગુજરાત ATSના DIG દીપન ભદ્રનને સન્માન મળશે. કેંદ્રીય ગૃહમંત્રાલય દ્વારા અસાધારણ આસૂચના કુશલતા પદક એનાયત કરવામાં આવશે.
ગુજરાતના પોલીસકર્મીઓનું સન્માન
કેન્દ્રીય ગૃહ મંત્રાલય ગુજરાત પોલીસના અધિકારીનું સન્માન કરશે, જેમાં ગુજરાત ATSના DIG દીપન ભદ્રનને સન્માન કરાશે. કેંદ્રીય ગૃહમંત્રાલય દ્વારા અસાધારણ આસૂચના કુશલતા પદક એનાયત કરવામાં આવશે. તેમણે જયેશ પટેલ, આસારામ સહિતના અનેક કેસ ઉકેલ્યા છે. સુરતમાં મા-દિકરીની હત્યા કેસમાં પણ સરાહનીય કામગીરી કરી હતી. દિપન ભદ્રને અનેક હાઈ પ્રોફાઈલ કેસ ઉકેલ્યા છે. પીઆઈ કિરણ ચૌધરીને પણ એવોર્ડથી સન્માનિત કરાશે.
જામનગરમાં માફિયારાજને ડામવા તેમને જવાબદારી સોંપાઈ હતી
વર્ષ 2021ના ડિસેમ્બરમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાંથી દિપેન ભદ્રનને ATS અમદાવાદના DIG તરીકે પ્રમોશન અપાયું હતું તેમને જણાવી દઈએ કે, ગુજરાતમાં જમીન માફિયાઓની વાત આવે ત્યારે જામનગરમાં જયેશ પટેલ અને જસપાલસિંહનું નામ ન આવે તેવું બનતું જ નહી. ઉલ્લેખનીય છે કે જયેશ પટેલનું નામ બીટકોઈન કૌભાંડમાં પણ સંડોવાયેલું હતુ. જામનગરના વકીલ કિરીટ જોશીની હત્યામાં પણ જયેશ પટેલની સંડોવણીના આરોપ લાગી ચૂક્યાં હતાં. જ્યારે બીજી બાજુ આંતરાષ્ટ્રીય માફિયા ગેંગ સાથે પણ તેના કનેક્શન હતો તે જગજાહેર હતો. આવામાં જયેશ પટેલના માફિયારાજને ડામવા દીપન ભદ્રનને જવાબદારી સોંપાઈ હતી