પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બનવાનું નિશ્ચિત છે. આપના સીએમ પદના ઉમેદવાર ભગવંત માનની રેકોર્ડબ્રેક મતથી જીત થઈ છે.
પંજાબમાં આમ આદમી પાર્ટીની સુનામી
આપના સીએમ ઉમેદવાર ભગવંત માનની રેકોર્ડબ્રેક જીત
45 હજાર વોટથી જીત્યા આપના ભગવંત માન
પંજાબના મુખ્યમંત્રી બનશે ભગવંત માન
આમ આદમી પાર્ટીએ હવે દિલ્હીની સરહદ બહાર પંજાબમાં પણ પોતાનો ઝંડો ફરકાવી દીધો છે. આમ આદમી પાર્ટી પંજાબમાં સૌથી મોટી પાર્ટી બનીને બહાર આવી છે અને બહુમતીના આંકડાથી પણ ઘણી આગળ નીકળી ગઈ છે. આપના સીએમ ઉમેદવાર ભગવંત માન ધૂરી બેઠક પરથી 45 હજાર વોટથી જીત્યા છે. આ તેમની રેકોર્ડબ્રેક જીત છે.
પંજાબના પૂર્વ સીએમ અમરિન્દર 13 હજાર અને સુખબીર સિંહ બાદલ 12 હજાર વોટથી ચૂંટણી હારી ગયા છે.
જાણો બાકીના દિગ્ગજોના હાલ
શિરોમણી અકાલી દળના પ્રકાશ સિંહ બાદલ લંબી વિધાનસભા બેઠક પર, ભદૌર અને ચમકૌર સાહિબ બેઠક પરથી કોંગ્રેસના ચરણજીત સિંહ ચન્ની, પટિયાલા અર્બન બેઠક પરથી કેપ્ટન અમરિંદર સિંહ અને અમૃતસર પૂર્વ બેઠક પરથી કોંગ્રેસના નવજોત સિંહ સિદ્ધુ મત ગણતરીમાં પાછળ ચાલી રહી છે.
મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની આપી શકે રાજીનામું
મતગણતરી વચ્ચે પંજાબના મુખ્યમંત્રી ચરણજીતસિંહ ચન્ની રાજીનામું આપી શકે છે. ચંદીગઢ સ્થિત પોતાના સરકારી આવાસ પર પહોંચ્યા છે. ટુંક સમયમાં જ રાજ્યપાલને મળીને રાજીનામું સોંપી શકે છે. ચરણજીત સિંહ ચન્ની પોતે બંને બેઠકો પર પાછળ ચાલી રહ્યા હોવાથી તેમના રાજીનામાની ચર્ચા પણ એક સમયે ઉઠી હતી.