દુનિયામાં હવે માછલીથી એક નવી બીમારી ફેલાવાથી હાહાકાર મચ્યો છે. હોંગકોંગમાં આ બીમારથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત થયા છે.
દુનિયામાં આવ્યો નવા વાયરસ
હોંગકોંગમાં માછલીમાંથી ફેલાયો નવો વાયરસ
બીમારીથી અત્યાર સુધીમાં 7 લોકોના મોત
દુનિયામાં મચ્યો હાહાકાર
કોરોના મહામારી સામે હજુ પણ ઝઝૂમી રહેલી દુનિયા માટે વધુ એક માઠી ખબર આવી છે. હોંગકોંગમાં હવે માછલીમાંથી એક નવી બીમારી ફેલાઈ રહી છે અને આ બીમારીને કારણે અત્યાર સુધીમાં 7 લોકોના મોત થતા વિશ્વની ચિંતા વધી છે.
મીડિયા રિપોર્ટ અનુસાર ચોખ્ખા પાણીની માછલી દ્વારા ખતરકનાક બેક્ટેરીયલ ઈન્ફેક્શન ફેલાઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 7 લોકો આ બીમારીની ચપેટમાં આવતા મોતને ભેટ્યા છે.
સીફૂડ ન ખાવાની લોકોને નિષ્ણાંતોની સલાહ
સીફૂડ (દરિયાઈ નોનેવેજ ભોજન) નિષ્ણાંતોએ લોકોને માછલીનો સ્પર્શ ન કરવાની કે તેને ન ખાવાની સલાહ આપી છે. સપ્ટેમ્બર અને ઓક્ટોબર 2021 માં B Streptococcus bacteria infection ના કુલ 79 કેસો નોંધાયા હતા જેને પગલે તંત્ર અલર્ટ થયું હતું. આ ઘટનાને કારણે દેશમાં ચિંતાનું મોજુ ફેલાયું છે.
ST283 સ્ટ્રેનથી સંક્રમિત થયેલા કુલ 32 ક્લસ્ટરની ઓળખ
સેન્ટર ફોર હેલ્થ પ્રોટેક્શન ગુરુવારે પુષ્ટિ કરી કે ST283 સ્ટ્રેનથી સંક્રમિત થયેલા કુલ 32 ક્લસ્ટરની ઓળખ કરવામાં આવી છે. દર મહિને લગભગ 26 કેસ નોંધાઈ રહ્યાં છે. મુખ્યત્વે દેશના સુઆન વાનની વેટ માર્કેટમાં આ લોકો સંક્રમિત થયા હતા. જે લોકો નવી બીમારીની ચપેટમાં આવ્યાં છે તેની તપાસ કરતા જાણવા મળ્યું કે તેઓ કોઈને કોઈ રીતે માછલીના કારોબાર સાથે સંકળાયેલા હતા.
આ બીમારીના લક્ષણો
માછલી દ્વારા ફેલાયેલી બીમારીના લક્ષણોમાં ન્યૂમોનિયા, મૂત્રાશયમાં બળતરા, લોહીમાં સંક્રમણ, ત્વચા સંક્રમણ સામેલ છે.