પંચકુલા હિંસા કેસમાં ગુરમીત રામ રહીમની દત્તક પુત્રી હનીપ્રીતને કોર્ટના જામીન મળી ગયા છે અને માનવામાં આવે છે કે તેને આજે તેમને છૂટા કરવામાં આવી શકે છે. પંચકુલા કોર્ટે હનીપ્રીત પર રાજદ્રોહનો આરોપ હટાવ્યા બાદ તેમને રાહત થઈ હતી. બળાત્કારના આરોપી ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમ જેલમાં ગયા બાદ હનીપ્રીતને પંચકુલામાં થયેલી હિંસાના મામલે જેલમાં જવું પડ્યું હતું.
ડેરા પ્રમુખ ગુરુમીત રામ રહીમની સજા બાદ, 25 ઓગસ્ટ 2017 માં હરિયાણામાં પંચકૂલામાં હિંસા થઇ હતી જે બાદ હનીપ્રીતને જેલ મોકલવામાં આવી શકે છે. આ હિંસામાં 41 માર્યા ગયેલા અને 260 થી વધુ લોકો ઘાયલ થયા છે.
જામીન અરજી મંજૂર
પંચકૂલા સીજેએમ રોહિત વત્સની કોર્ટે હનીપ્રીતની જામીન અરજી મંજૂર કરતા જામીન હનીપ્રીતના વકીલે આજે જ જામીન અરજી નોંધાવી હતી. આ પહેલા કોર્ટે તેમની જામીન અરજીને ફગાવી હતી.
રાજદ્રોહની કલમ હટાવાઇ
આ અગાઉ પંચકુલા કોર્ટે ગત સપ્તાહે 2 નવેમ્બરના રોજ પંચકુલામાં થયેલી હિંસા કેસમાં ડેરા સચ્ચા સૌદાના વડા ગુરમીત રામ રહીમની ધરપકડ બાદ આરોપો નક્કી કર્યા હતા. જ્યારે કોર્ટે રામ રહીમની રાજદાર હનીપ્રીત સહિતના તમામ આરોપીઓને મોટી રાહત આપતા રાજદ્રોહની કલમ હટાવી દીધી હતી.
વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરાઇ
સાધ્વિઓ સાથે રેપ કેસમાં સજા ભોગવી રહેલ રામ રહીમની બનાવેલી પુત્રી હનીપ્રીત અને સુખદીપ કોરની કસ્ટડી પૂર્ણ થયાં બાદ અંબાલા સેન્ટ્રલ જેલથી વીડિયો કોન્ફરન્સ દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. આ દરમિયાન તોફાન અને આગથી જોડાયેલા બીજા અન્ય લોકો પણ કોર્ટમાં રજૂ કરાયા હતા.