દેશમાં કોરોના વાયરસ, સ્ટ્રેન વાયરસ બાદ હવે વધી રહેલા બર્ડ ફ્લૂના સંક્રમણને લઈને લોકોમાં ભયનો માહોલ છે. આ સમયે લોકો તેનાથી બચવાના અનેક પ્રયાસો કરી રહ્યા છે ત્યારે સ્વામી રામદેવે બર્ડ ફ્લૂથી બચવા માટે આયુર્વેદિક ઉકાળો કારગર ગણાવ્યો છે અને સાથે જ તેઓએ તેને બનાવવાની રીત પણ જણાવી છે. તો તમે પણ આજથી જ કરી લો ટ્રાય.
બર્ડ ફ્લૂના સંક્રમણને લઈને લોકોમાં ભય
બર્ડ ફ્લૂથી બચવા આયુર્વેદિક ઉકાળો કારગર ગણાવ્યો
સ્વામી રામદેવે જણાવી ઉકાળો બનાવવાની ખાસ રીત
દેશના અનેક વિસ્તારો જેમકે ઉત્તર, પશ્ચિમ અને દક્ષિણ ભારતના અનેક રાજ્યોમાં એવિયન ઈન્ફ્લુએન્ઝાના કેસ જોવા મળી રહ્યા છે. હિમાચલ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને કેરળ જેવા રાજ્યોમાં 25 હજારથી વધારે બતક, કાગડા અને પ્રવાસી પક્ષીઓના મોત થયા છે. આ સમયે સ્વાસ્થ્ય વિશેષજ્ઞોએ સાવધાની રાખવાની સલાહ આપી છે. લોકોને ડર છે કે કોરોના મહામારી બાદ આ મહામારી લોકોનો જીવ ન લે. લોકો પહેલાંથી તેનાથી સાવધાન થવાના પ્રયાસ કરી રહ્યા છે. આ સમયે સ્વામી રામદેવે એક આયુર્વેદિક ઉકાળો જણાવ્યો છે અને સાથે તેને બનાવવાની રીત પણ આપી છે.
શું કહે છે ડોક્ટર્સ
ડોક્ટર્સનું કહેવું છે કે બર્ડ ફ્લૂનું કારણ બનતો એચ5એન1 વાયરસના વ્યક્તિથી વ્યક્તિમાં ફેલાવવાનું જોખમ દુર્લભ છે. એવું ત્યારે જ શક્ય છે જ્યારે કોઈ વ્યક્તિ પક્ષીઓની સંક્રમિત પ્રજાતિની સાથે નજીકથી કામ કરે. વ્યક્તિઓમાં બર્ડ ફ્લૂનો વાયરસ આંખ, નાક અને મોઢાની મદદથી પ્રવેશ કરે છે.
આ છે બર્ડ ફ્લૂના લક્ષણો
શ્વાસ લેવામાં તકલીફ થવી
ખાંસી આવવી
કફ બનવો અને જમા થવો
માથું સતત દુઃખતું રહેવું
તાવ આવવો અને શરીર અકડાઈ જવું
શરીરમાં દર્દ થવું
જલ્દી થાકનો અનુભવ થવો
પેટમાં દુઃખાવો થવો
શું કહે છે સ્વામી રામદેવ
સ્વામી રામદેવના અનુસાર જો તમે બર્ડ ફ્લૂથી પોતાને બચાવીને રાખવા ઈચ્છો છો તો જરૂરી છે કે તમારે તમારી ઈમ્યુનિટીને મજબૂત રાખવી પડશે. આ માટે તમે રોજ આયુર્વેદિક ઉકાળો અને થોડી કસરત કરો તે જરૂરી છે.
બર્ડ ફ્લૂમાં મદદગાર સાબિત થાય છે આ આયુર્વેદિક ઉકાળો
સામગ્રી
8-10 તુલસીના પાન
ગિલોયની ડાંડીઓ
થોડા કાળા મરી
2-3 લવિંગ
1 ઈંચ આદુનો ટુકડો
1 ઈંચ કાચી હળદર
આ રીતે બનાવો ઉકાળો
સૌ પહેલાં તો આ તમામ ચીજોને બરોબર રીતે વાટી લો. હવે એક લિટર પાણી લો અને તેમાં આ તમામ ચીજોને નાંખો. તેને સારી રીતે ઉકળવા દો. જ્યારે પાણી 100-200 એમએલ જેટલું બચે ત્યારે તેને ગાળી લો. ગાળ્યા બાદ ધીરે ધીરે તે ઉકાળો પીઓ. તેનાથી તમને ફાયદો થશે.