આપણા દરેક લોકોના ઘરમાં અલગ અલગ પ્રકારની ચટણીઓ બનતી હોય છે. પરંતુ શું તમે જાણો છો આ ચટણી પોષક તત્વોથી ભરપૂર હોય છે. આજે અમે તમને જણાવીએ છીએ ચટણીથી જોડાયેલી કેટલીક વાતો.
ચટણી અને અથાણાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. અલગ અલગ પ્રકારની ચટણી આપણે અલગ અલગ રીતે ખાતા હોઇએ છીએ. ખાદ્ય વિશેષજ્ઞોના એક રીપોર્ટ અનુસાર ચટણી અને અથાણામાં કેટલાક જરૂરી પોષક તત્વો હોય છે. જે આપણને સ્વસ્થ બનાવે છે.
મરચાની ચટણી
લીલા મરચા હોય કે લાલ મરચા બન્નેમાં વિટામીન સીનું ભરપૂર પ્રમામ હોય છે. ખાંસી અને તાવ જેવી નાની મોટી સ્વાસ્થ્ય સંબંધી તકલીફ ઉપરાંત વિટામીન-સી કેન્સર જેવા ખતરનાક રોગથી પણ બચાવે છે. તેનાથી ત્વચા રોગમુક્ત રહે છે. મરચામા કેટલાક તત્વ એવા પણ હોય છે જેના કારણે ઘણીવાર ઈજા થઈ હોય ત્યારે ઉપયોગમાં આવતી ડ્રીમમાં તેનો અર્ક ભેળવવામાં આવે છે.
ટામેટાની ચટણી
ઘરમાં બનેલ ટમેટાની ચટણીમાં લાઈકોપીના નામક એંટીઓકિસડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે. કાચા ટમેટાની સરખામણીમાં રાંધેલા ટમેટા છ ગણા વધુ લાઈકોપીન એંટીઓકિસડેન્ટ યુકય છે. જે ત્વચાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે અને કેન્સરથી બચાવે છે.
ફુદીનાની ચટણી
ફુદીનો પેટને ઠંડક આપે છે. આ પાચન તંત્રની માંસપેશીઓ ખૂબજ મસાલાવાળા ભોજનની બળતરાથી રાહત આપે છે અને એસિડીટીથી બચાવે છે. બીજી લીલી શાકભાજીની જેમ ફુદીનો પણ વિટામીન બી-૯નો સારો સ્ત્રોત છે. જે કોશિકાઓના નિર્માણમાં મદદરૂપ હોય છે.