બોમ્બે હાઈકોર્ટે જણાવ્યું કે ભીખારીઓ અને બેઘર લોકોએ પણ દેશ માટે કંઈ કામ કરવું જોઈએ કારણ કે રાજ્ય બધું ન આપી શકે.
ભીખારીઓ અને બેઘરો પર બોમ્બે હાઈકોર્ટનો મોટો ચુકાદો
ભીખારીઓ અને બેઘર લોકોએ કામ કરવું જોઈએ
બધુ રાજ્ય ન આપી શકે
બધુ મફત આપવાથી સમાજમાં ભીખારીઓની સંખ્યા વધી જશે
બેઘર વ્યક્તિઓ, ભીખારીઓ તથા ગરીબોને ત્રણ ટંકનું ભોજન, પીવાનું પાણી તથા આશ્રય તથા જાહેર શૌચાલયની સુવિધા આપવી જોઈએ તેવી એડવોકેટ બૃજેશ આર્યની અરજી પર બોમ્બે હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દિપાંકર દત્તા અને જસ્ટીસ જી એસ કુલકર્ણીની ખંડપીઠે આવો ચુકાદો આપ્યો છે.
બૃજેશ આર્યની અરજી પર સુનાવણી કરતા હાઈકોર્ટની ખંડપીઠે જણાવ્યું કે બેઘર લોકોએ દેશ માટે કોઈ કામ કરવું જોઈએ, બધા કામ કરી રહ્યાં છે. બધુ રાજ્ય દ્વારા ન આપી શકાય. તમે ફક્ત સમાજના આ વર્ગની વસતી વધારી રહ્યાં છો.
બીએમસીએ હાઈકોર્ટને કહી આ વાત
બીએમસીએ કોર્ટને જાણ કરી કે એનજીઓની મદદથી આખા મુંબઈમાં આવા લોકોને ભોજન તથા મહિલાઓને સેનિટરી નેપકિન આપવામાં આવી રહ્યાં છે. કોર્ટે બીએમસીની આ દલીલનો સ્વીકાર કરતા જણાવ્યું કે ભોજન અને સામગ્રી વિતરણના સંબંધમાં હવે વધારે આદેશ આપવાની જરુર નથી.
અરજદારને કહ્યું તમે આવા લોકોની સંખ્યા વધારી રહ્યાં છો
હાઈકોર્ટે અરજદારને જણાવ્યું કે ભીખારીઓએ પણ દેશહિતમાં કામ કરવું જોઈએ. બધા કામ કરી રહ્યાંછે. તમે સમાજમાં આવા લોકોની સંખ્યા વધારી રહ્યાં છો. ખંડપીઠે અરજદાર પર સવાલ ઉઠાવતા જણાવ્યું કે જો અરજીમાં કરાયેલી વિનંતીઓ માની લેવામાં આવે તો આ તો લોકોને કામ ન કરવાનું આમંત્રણ આપવું એવું સાબિત થશે.