આમ તો પ્રથમ વખત ઘર ખરીદનારા જે હોમલોન પર 3.50 લાખના વ્યાજની ચૂકવણી પર વાર્ષિક ટેક્સ ડિસ્કાઉન્ટનો લાભ ઉઠાવી રહ્યાં છે. તેઓને 1 એપ્રિલ 2022થી ઝટકો લાગવાનો છે. 1 એપ્રિલ 2022થી કેન્દ્ર સરકાર પહેલી વખત ઘર ખરીદનારા લોકોને કલમ 80EEA હેઠળ ટેક્સ ડિસ્કાઉન્ટનો લાભ આપવાનું બંધ કરી રહી છે.
1 એપ્રિલ 2022થી ઘર ખરીદનારા લોકોને લાગશે ઝટકો
કલમ 80EEA હેઠળ ટેક્સ છૂટછાટનો લાભ આપવાનું થશે બંધ
હવે ઘર ખરીદનારા લોકોને વર્ષ 2022-23થી વધુ ટેક્સ ચૂકવવો પડશે
80EEA હેઠળ ટેક્સ છૂટછાટનો લાભ નહીં મળે
2019-20ના બજેટમાં કેન્દ્ર સરકારે 45 લાખ રૂપિયા સુધીનુ ઘર ખરીદનારા લોકોને હોમ લોન પર મોટાભાગે રૂપિયા 1.50 લાખ આવકવેરા લાભની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારબાદ બજેટ 2020 અને 2021માં આ સુવિધાને લંબાવી દેવામાં આવી હતી. પરંતુ 1 ફેબ્રુઆરી 2022ના રોજ નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરાયેલા બજેટમાં આગામી 1 એપ્રિલથી શરૂ થઇ રહેલા નાણાંકીય વર્ષ 2022-23થી આ સુવિધાને લંબાવવામાં આવી નથી. આવા ઘર ખરીદનારા લોકોને આગામી નાણાંકીય વર્ષ 2022-23થી વધુ ટેક્સ ચૂકવવો પડી શકે છે.
31 માર્ચે પૂર્ણ થઇ રહી છે સ્કીમ
ખરેખર કેન્દ્ર સરકારે 1 એપ્રિલ 2019થી લઇને 31 માર્ચ 2022ની વચ્ચે પહેલી વખત હોમ લોન લઇને ઘર ખરીદનારા લોકોને વધુ ટેક્સ ડિસ્કાઉન્ટ આપવાની જાહેરાત કરી હતી. આ યોજના મુજબ આવા ઘર ખરીદનારા લોકો જે સમય મર્યાદામાં 45 લાખ રૂપિયાના સ્ટેપ વેલ્યુનુ ઘર ખરીદે છે તો સેક્શન 24 હેઠળ 2 લાખ રૂપિયા સુધી હોમ લોનના વ્યાજની ચૂકવણી સિવાય 80EEA હેઠળ 1.5 લાખ રૂપિયા વધુ હોમલોનના વ્યાજની ચૂકવણી પર ટેક્સ ડિસ્કાઉન્ટનો લાભ મળશે. એટલેકે આ સમયગાળામાં ઘર ખરીદનારા લોકોને 3.50 લાખ રૂપિયા સુધી હોમલોનના વ્યાજની ચૂકવણી પર ટેક્સ છૂટછાટનો લાભ મળતો આવ્યો છે. જેની સમય મર્યાદા 31 માર્ચ 2022ના રોજ પૂર્ણ થઇ રહી છે.