ચોમાસાની સીઝનમાં શરદી અને ખાંસી સામાન્ય વાત છે. જો લાંબા સમય સુધી આ સમસ્યા રહે છે તો અનેક બીમારીઓ થાય છે. તમે ઘરે જ 5 ઉપાયોથી તેને છૂમંતર કરી શકો છો.
સીઝનલ બીમારીમાં અસરકારક છે આ ઉપાયો
5 ઉપાયોથી ફટાફટ છૂમંતર થશે શરદી અને ખાંસી
જાણો ઘરેલૂ ઉપાયો અને દવાને કહો બાય બાય
શું કહે છે આયુર્વેદ ડોક્ટર
આયુર્વેદના અનુસાર તમે ખાંસીથી પરેશાન છો તો પીપળીની ગાંઠને પીસી લો અને તેમાં 1 ચમચી મધ મિક્સ કરી લો. તેનું નિયમિત સેવન કરવાથી સૂકી ખાંસી ઠીક થાય છે અને તમે રાહત અનુભવી શકો છો.
દવા નહીં ટ્રાય કરો શરદી અને ખાંસીને દૂર કરતા ઘરેલૂ ઉપાયો
મધનો કરો ઉપયોગ
મધમાં ઔષધિય તત્વો ભરપૂર હોય છે. તેના એન્ટી ઓક્સીડન્ટ ગુણ ખાંસીની તકલીફને દૂર કરવામાં મદદ કરે છે. આ સિવાય ગળામાં ખરાશ હોય તો તેને ખતમ કરવામાં પણ મદદ કરે છે. આ માટે હર્બલ ચા કે લીંબુ પાણીમાં 2 ચમચી મધ મિક્સ કરીને દિવસમાં 2 વાર પીઓ, આરામ મળશે.
નીલગીરીનું તેલ લાભદાયી
આયુર્વેદ અનુસાર ખાંસીમાં નારિયેળ તેલમાં નીલગીરીનું તેલ મિક્સ કરીને છાતીની માલિશ કરો. ગરમ પાણીમાં નીલગીરીના તેલના ટીપાં મિક્સ કરો અને નાસ લો. તેનાથી છાતી હલકી થશે અને શ્વાસ લેવામાં સરળતા રહેશે.
મીઠાનું પાણી પણ રહેશે લાભદાયી
જો તમે સૂકી ખાંસીથી પરેશાન છો તો મીઠાના પાણીના કોગળા કરવાથી રાહત મળશે. સાથે ગળાને પણ આરામ મળશે. મીઠાના પાણીના કોગળા કરવાથી ફેફસામાં જમા થયેલો કફ પણ ઘટે છે. તમે હૂંફાળા પાણીમાં પા ભાગનું મીઠું મિક્સ કરો અને દિવસમાં શક્ય તેટલી વાર કોગળા કરો.
આદુનો આ રીતે કરી લો ઉપયોગ
સીઝનલ ખાંસીથી રાહત મેળવવા માટે આદુ કારગર છે. આ અનેક ઔષધિય ગુણોથી ભરપૂર છે. કાળા મરી અને આદુની ચા પીવાથી ખાંસીથી રાહત મળે છે. તો તેનું નિયમિત સેવન કરો તે લાભદાયી છે.