અજમામાં એવા એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે જે વજન ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ આપણા મેટાબોલિક રેટમાં પણ સુધાર કરે છે.
અજમો છે ખૂબ જ ફાયદાકારક
વજન ઘટાડવામાં કરે છે મદદ
મેટાબોલિક રેટમાં પણ થશે સુધાર
વજન વધવાના કારણે ઘણા રોગો પણ થવા લાગે છે. માટે વજનને વધવા ન દેવું જોઈએ. આમ તો માર્કેટમાં વજન ઘટાડવાના ઘણા ઉપાયો અવેલેબલ છે. પરંતુ તમે ઘરેલું ઉપાયોથી પણ બેસ્ટ રિઝલ્ટ મેળવી શકો છો. ઘરેલુ ઉપાયથી સૌથી મોટી ખોસીયત છે કે જો યોગ્ય રીતે અપનાવવામાં આવે તો તેના કોઈ સાઈડ ઈફેક્ટ્સ પણ નથી હોતા. સાથે જ તેનાથી ઓછા સમયમાં બેસ્ટ રિઝલ્ટ મળી જાય છે.
અજમાના ઉપયોગથી ઘટાડો વજન
અમે અહીં તમને અજમાથી વજન ઘટાડવા વિશે જણાવી રહ્યા છીએ. અજમામાં એન્ટી ઓક્સીડેન્ટ્સ હોય છે જે વજન ઘટાડવામાં મદદ તો કરે જ છે સાથે જ આપણા મેટાબોલિક રેટમાં પણ સુધાર લાવે છે. તમે વર્કઆઉટની સાથે અજમાની આ બે રીતથી વેટ લોસ કઈ રીતે કરી શકો છો જાણો...
અજમાની પાણી
અજમાના આ નુસ્ખા અથવા રીતને અપનાવવા માટે તમારે તેને આખી રાત પલાડીને રાખવાનો છે. એક ગ્લાસ પાણી લો અને તેમાં બે ચમચી અથવા ડોઢ ચમચી અજમો નાખો. રાત્રે પલાડીને સવારે ખાલી પેટે આ પાણી પી લો અને અજમાને ફેંકવાની જગ્યા પર તેને 30થી 32 વખત ચાવો, આ નુસ્ખો તમારે નિયમિત લગભગ 3 મહિના માટે ફોલો કરવાનો છે. ધ્યાન રાખો કે તે સમયે તમારે એક્સરસાઈઝનું રૂટીન ફોલો કરવાનું છે. આ રૂટીનથી તમે હેલ્ધી રહેશો અને તમારી ઈમ્યુનિટી પણ મજબૂત બનશે.
અજમાની સાથે વરીયાળી અને જીરાનું સેવન
અજમાની સાથે જો તમે જીરૂ કે વરીયાળીનો ઉપયોગ કરો છો તો તનાથી તમને બે ઘણો ફાયદો મળી શકે છે. આ નુસ્ખામાં પણ તમારે અજમો, જીરૂ અને વરીયાળીને રાત્રે પલાળીને રાખવાનું છે સવારે ઉઠીને તે પાણીને હુફાળુ કરીને પીવાનું છે. પીધા પહેલા તે પાણીને ગાળીલો અને પછી આ વસ્તુઓને ચાવીને ખાઈ જાઓ. આ નુસ્ખાને પણ નિયમિત ત્રણ મહિના સુધી કરવાનો રહેશે. આમ કરવાથી તમારૂ પેટ પણ સ્વસ્થ્ય રહેશે અને મેટાબોલિઝ્મમાં સુધાર રહેશે.