આમ તો અત્યારે લોકડાઉનમાં બહારનુ જમવાનુ, જંકફુડ ખાવાનુ અને અનહાઇજેનિક ફુડ બંધ છે. લોકો હેલ્ધી બની રહ્યા છે, પરંતુ ક્યારેક જમવામાં કોઇક એવી વસ્તુ આવી શકે છે જે તમારા પેટની મજા બગાડી દે. ક્યારેક કોઇક મસાલા કે કોઇ શાક કે ફ્રુટ કે પછી કોઇ ડબ્બાબંધ વસ્તુમાં પણ એવુ કંઇ પણ આવી જાય છે જેના કારણે તમને ફુડ પોઇઝનિંગની તકલીફ થઇ શકે છે. ફુડ પોઇઝનિંગના લીધે તબિયત બગડે તેવુ પણ બને છે. જો આમ થાય તો કેટલાક ઘરગથ્થુ ઉપચાર અજમાવવાથી રાહત મળી શકે છે.
લીંબુનુ સેવન કરો
લીંબુમા એન્ટીઇન્ફ્લેમેટરી, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરલ ગુણો હોય છે. તેને પીવાથી ફુડ પોઇઝનિંગ વાળા બેક્ટેરિયા મરી જાય છે. તમે ખાલી પેટ લીંબુ પાણી બનાવીને પી શકો છો અને ઇચ્છો તો ગરમ પાણીમા લીંબુ નાંખીને પણ પી શકો છો.
એપલ વિનેગરનુ સેવન કરો
એપલ વિનેગરમાં મેટાબોલિઝમ રેટને વધારવાનુ તત્વ હોય છે. ખાલી પેટે તેનુ સેવન કરવાથી તે ખરાબ બેક્ટેરિયાને મારવામાં મદદ કરે છે.
તુલસીનું સેવન કરો
તુલસીમાં રહેલા એન્ટીબેક્ટેરિયલ ગુણો સુક્ષ્મ જીવો સામે લડે છે. તુલસીનુ સેવન તમે ઘણી રીતે કરી શકો છો. એક કટોરી દહીંમા તુલસીના પાંદડા, મરી અને થોડુ મીઠુ નાંખીને પણ ખાઇ શકો છો. પાણી કે ચા માં તુલસીના પાન નાખીને પણ પી શકો છો.
દહીં ખાવ
દહીં એક પ્રકારનુ એન્ટીબાયોટિક છે. તેમાં થોડુ મીઠુ નાંખીને ખાવાથી પેટમાં રાહત થાય છે. પેટની કોઇ પણ સમસ્યા હોય ત્યારે ભુખ્યા રહીને માભ દહીં કે છાશ લેવામાં આવે તો ધીમે ધીમે પેટ સરખુ થવા લાગે છે.
લસણ ખાવ
લસણમાં એન્ટી ફંગલ ગુણ હોય છે. તમે ખાલી પેટે લસણની કાચી કળીઓ પાણી સાથે ખાઇ શકો છો. તેનાથી પેટની કોઇ પણ સમસ્યામાં રાહત મળે છે. તમારો મેટાબોલિક રેટ પણ વધે છે.