ગરમીમાં લોકોના શરીરમાં ખંજવાળ આવવાની તકલીફ વધી જતી હોય છે. ધૂળ અને પ્રદૂષણના કારણે ખંજવાળ આવે છે જેનાથી છૂટકારો મેળવવા લોકો મોંઘા કોસ્મેટિક યુઝ કરતા હોય છે.
ગરમીમાં ખંજવાળની સમસ્યા થાય છે
પરસેવાને કારણે ઇચીંગ થાય છે
ઘરેલૂ ઉપચારથી મટાડો ખંજવાળની સમસ્યા
મોંઘા પ્રોડક્ટ્સનો ઉપયોગ
લોકો ખંજવાળથી છૂટકારો મેળવવા માટે મોંઘા કોસ્મેટિક ઉપયોગ કરે છે તે ખર્ચાળ પણ હોય છે અને તેમાં કેમિકલ હોવાથી સાઇડ ઇફેક્ટ થવાની ચિંતા પણ રહે છે. કેટલાક ઘરેલૂ ઉપાય અપનાવવાથી ખર્ચો પણ બચશે અને ત્વચા પણ કોમળ અને મુલાયમ બનશે.
એલોવેરા જેલ
એલોવેરા જેલના ઉપયોગથી ખંજવાળમાં રાહત મળે છે. તેના માટે રોજ 3-4 ચમચી એલોવેરા કાઢીને તેને સ્કીન પર લગાવો અને 20 મિનીટ બાદ પાણીથી ધોઇ લો.
લીમડાના પત્તા
લીમડાના પાનને ધોઇને તેની પેસ્ટ જ્યાં ખંજવાળ આવતી હોય ત્યાં લગાવી લો તેનાથી આરામ મળશે. તમે ઇચ્છો તો લીમડાના પાન ધોઇને ઉકાળીને તેનાથી ન્હાવાથી પણ રાહત રહે છે.
તુલસીના પાન
તુલસીના પાનને ધોઇને વાટી લો. તેમાં થોડુ નારિયેળનું તેલ મિક્સ કરીને જ્યાં ખંજવાળ આવે છે ત્યાં લગાવી લો. તેનાથી આરામ મળશે અને સ્કીન પણ મુલાયમ થશે.
લીંબુનો રસ
એક ડોલ પાણીમાં લીંબૂનો રસ મિક્સ કરી દો અને તેનાથી ન્હાવાથી ખંજવાળની સમસ્યા દૂર થશે.
ચંદન અને ગુલાબજળ
ખંજવાળને દૂર કરવા માટે ચંદનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના માટે 3 ચમચી ચંદનના પાવડરમાં 5 થી 6 ચમચી ગુલાબજળ ઍડ કરો તેને મિક્સ કરીને ખંજવાળ આવતી હોય ત્યાં લગાવીને ધોઇ લો. તેનાથી રાહત મળશે.