અત્યારની ખરાબ જીવનશૈલી અને ઉકળાટ કારણે મોટાભાગના લોકોાં ગેસ અને વાયુની સમસ્યા ખૂબ જ વધી જાય છે. તો તેનાથી બચવું હોય તો શું કરવું આજે જાણી લો.
કબજિયાત અને પેટની તકલીફોને દૂર કરી દેશે આ ટિપ્સ
ગેસ અને વાયુની સમસ્યામાં બેદરકારી કરવી નહીં
આ ઘરેલૂ ઉપાય કરશે તમારી મદદ
બેઠાડું જીવનથી પાચન મંદ પડતાં આ સમસ્યા વધુ જોવા મળે છે. અપચો, કસમયનું ભોજન, માનસિક ટેન્શન, ઉજગરા જેવા કારણોથી પાચનતંત્રમાં ગડબડ ઉભી થાય છે. પરિણામ સ્વરૂપે હોજરી અને આંતરડામાં વધુ પ્રમાણમાં વાયુ ઉત્પન્ન થવાથી પેટમાં ભાર લાગવા માંડે છે. ગેસ- વાયુને લીધે છાતીમાં ગભરામણ, બેચેની, માથું દુખવું, આફરો જેવી તકલીફો શરૂ થાય છે. જેનાથી દર્દી હેરાન પરેશાન થઈ જાય છે.
ધ્યાનમાં રાખો આ બાબતો
ગેસના દર્દીએ ખોરાકમાં લસણ, હિંગ, અજમો, મેથી, લીલા શાકભાજી અને પચવામાં સરળ આહાર લેવો.
તમાકુ, બીડી, પાન, સિગારેટની આદત હોય તો છોડી દેવી. તેનાથી પેટ અને વાયુ વિકાર વધે છે.
ખૂબ જ ગુસ્સમાં, અંશાતિથી ના જમતા. શાંતિથી ધીમે-ધીમે આહારનો સ્વાદ માણતા જમવું. જમતા પહેલાં અને જમ્યા પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું.
ગેસના દર્દીએ કબજિયાત રહેવા દેવી નહિં. કબજિયાત હોય તો રાત્રે સૂતી વખતે ત્રિફળા ચૂર્ણ, અવિપત્તિકરચૂર્ણ, સ્વાદિષ્ટ વિરેચનચૂર્ણ કોઈમાંથી એક આયુર્વેદિક ચિકિત્સકની સલાહ મુજબ લેવું.
ગેસના દર્દીએ સાદો, સુપાચ્ય અને ઓછી માત્રામાં જ આહાર લેવો, ગરમ-ગરમ જ જમવું. વાસી ખોરાક ના લેવો. આખો દિવસ કંઈક ને કંઈક પેટમાં પધરાવાની આદતને તિલાંજલી આપીને દિવસમાં બે ટાઈમ જવાની આદત પાડવી.
તીખો તમતમતો, મસાલેદાર ખોરાક, ઘી, ખાંડ વાલ, વટાણા, ચણા, કોબી, ફૂલાવર, બટાકા, અડદ, ઇંડા અને મેંદાના લોટની વાનગીઓ ન લેવી. તેનાથી પેટમાં ગેસ અને કબજિયાતની સમસ્યા વધે છે.
કેટલાંક લોકો એમ માને છે કે પૌષ્ટિક પદાર્થ અને ઘી વગેરે ખાવાથી શક્તિ વધે છે, પરંતુ આંતરડા નબળાં હશે તો ભારે પદાર્થનું પાચન ન થવાથી અપચો થઈ ગેસ ઉત્પન્ન થાય છે. એટલે જ પચે તેવું અને પચે તેટલું જ ખાવું
જમીને તરત સુઈ ન જવું, થોડું ચાલવું અને દિવસથી નિદ્રાનો ત્યાગ કરવો.
ગેસના દર્દીને સવારે નરણાં કોઠે પાણી પીવાથી પણ સારો ફાયદો થાય છે.
ગેસનાં દર્દીએ જમ્યાં પછી વધુ પ્રમાણમાં પાણી ન પીવું જોઈએ. જમ્યાં પછી મોળી છાશ અથવા જીરાવાળી છાશ લઈ શકાય.