શરીરમાં કોઈ પણ ભાગમાં પથરીની સમસ્યાથી બચવા માટે લાઈફસ્ટાઈલને સારી બનાવવાની જરૂર છે. પથરી થાય તો દર્દીને અતિશય દુઃખાવો રહે છે અને તેને માટે તમે આ ઘરેલૂ ઉપાયો સત્વરે અજમાવી શકો છો.
શરીરમાં પથરીની સમસ્યા છે તો કરો આ કામ
કેટલાક ઘરેલૂ ઉપાયો આપશે રાહત
દુઃખાવો કરશે દૂર અને નહીં પડે દવાની જરૂર
જો ઘરમાં કોઈને પણ પથરીની સમસ્યા હોય તો તેની સામે હારો નહીં, કેટલીક નાની કાળજી રાખીને તમે તેનાથી છૂટકારો મેળવી શકો છો. જો તમે કે પરિવારમાં કોઈ પણ પથરીનો શિકાર બન્યા છો તો તમે તેના માટે આ ઘરેલૂ નુસખા અપનાવી લો તે જરૂરી છે.
આ બાબતનું ધ્યાન રાખો
સૌથી વધારે જરૂરી છે કે તમે તમારા ડાયટનું ધ્યાન રાખો, સાખે ફેફસા અને કિડનીથી લઈને પેટમાં પથરીની સમસ્યાથી બચવા માટે લાઈફસ્ટાઈલને સારી બનાવવાની જરૂર છે. પથરી થાય ત્યારે દર્દીને અસહ્ય દુઃખાવો થાય છે જેને સહન કરવાનું મુશ્કેલ બને છે. એમાં પેન કીલર કે ઈન્જેક્શનની મદદથી દર્દને કંટ્રોલ કરવાની કોશિશ કરાય છે.
પથરીની સમસ્યા ગંભીર થાય ત્યાર તેની સાઈઝ સતત વધે છે. આ સમયે ઓપરેશન કરીને તેને કાઢવી પડે છે. શરીરમાં અનેક નાની સાઈઝની પથરી છે તો તેન ઘરેલૂ ઉપાયોથી યૂરિનના રસ્તે બહાર કાઢી શકાય છે. તો જાણો કયા ઉપાયો કરશે કામ.
જાંબુ ખાવાથી થશે ફાયદો
સામાન્ય રીતે વરસાદની સીઝનમાં આવતા જાંબુ પથરીની સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે.ફળમાં રહેલા એન્ટી ઓક્સીડન્ટ પથરીના ક્ષરણમાં મદદ કરી શકે છે. આ સિવાય તેને ખાવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
આમળા કે આમળાનો પાવડર
આમળાને વિટામિન સીનો મોટો સોર્સ માનવામાં આવે છે. આ પથરીને ખતમ કરવામાં મદદ કરે છે. તે પથરીની સારવારમાં કારગર ઉપાય છે. તમે રોજ સવારે અને સાંજે 1-1 ચમચી આમળા પાવડરનો ઉપયોગ કરી શકો છો.
દાડમનો જ્યૂસ
દાડમ ખાવાથી બોડીને અનેક ફાયદા થાય છે. તેમાં અનેક પોષક તત્વો હોય છે. દાડમનો જ્યૂસ પીવાથી પથરીની સમસ્યા ખતમ થાય છે. કેમકે તે તેને ઓગાળવાનું કામ કરે છે. શરીરમાં પોટેશિયમનું વધારે પ્રમાણ પથરી બનાવે છે અને સાથે દાડમનો જ્યૂસ યૂરિનમાં એસિડિટીના લેવસને ઓછું કરે છે અને ફેફસાથી પથરીને બહાર કાઢવાનું કામ કરે છે.
એલચી પણ કરે છે ફાયદો
એલચીનુ પાણી પીવાથી પથરીથી રાહત મળે છે. આ માટે મોટી એલચીના દાણાને મિસરી અને ટેટીના દાણાની સાથે એક ચમચી પાણીમાં પલાળીને રાખો. આ બધાને રાતે પાણીમાં પલાળો. સવારે આ પાણી અને વસ્તુનું સેવન કરો.
સતત પાણી પીઓ
પથરીને ખતમ કરવા માટે સૌથી મોટું ફેક્ટર પાણી માનવામાં આવે છે. ડોક્ટર ખાસ કરીને પાણી પીવાની સલાહ આપે છે. આ કારણ છે કે વધારે પાણી પીવાથી શરીરના ઝેરી તત્વો બહાર આવી જાય છે અને બોડીમાં રહેવાથી તે પથરી બનાવવા માટે જવાબદાર બને છે.