દેશી ઘીનું સેવન આરોગ્ય માટે ખુબ ફાયદાકારક છે, તે જાણતા હોવા છતાં આજકાલ લોકો ઘીનું સેવન ટાળે છે.
દેશી ઘીના અદભૂત છે ફાયદા
સાંધાના દુઃખાવાથી પેટ સુધીની તકલીફ દૂર થશે
ઘીમાં રહેલા વિટામીન્સ માનસિક આરોગ્ય સારુ રાખે છે
જો યાગ્ય પ્રમાણમાં ઘીનું સેવન કરવામાં આવે તો ઘી શરીરને જબરજસ્ત ફાયદા પહોંચાડે છે. ઘીમાં રહેલા કોન્ઝયુગેટેડ લિનોલેઈક એસિડ વજન ઘટાડવામાં મદદરૂપ થાય છે. ઘીમાં વિટામિન એ, ડી, કેલ્શિયમ, ફોસ્ફરસ, મિનરલ્સ અને પોટેશિયમ જેવાં પોષક તત્ત્વ જોવા મળે છે, જે આપણાં સ્વાસ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. સવારે નાસ્તામાં કોઈ પણ રીતે તમારે એક ચમચી ઘીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. ઘી તમારા શારીરિક અને માનસિક આરોગ્યને ઉત્તમ બનાવવામાં ઘણી જ રીતે ઉપયોગી થશે.
રોગપ્રતિકારક શક્તિમાં વધારો
ઘીનું સેવન કરવાથી તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેના સેવનથી આપણા શરીરના ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. જો તમે ઘીનું સેવન કરો છો તો તેના કારણે તમારું માનસિક આરોગ્ય પણ ઉત્તમ રહે છે.
પેટની તકલીફો દૂર થાય છે
કબિજયાત અને પાચન તંત્રને લગતા રોગો ઘી ખાવાથી આપોઆપ દૂર થઈ જાય છે. ઘીમાં વિટામિન એ, ડી, ઈ અને કેનું પૂરતું પ્રમાણ જોવા મળે છે. આ તમામ તમારા પેટને સ્વસ્થ રાખવા માટે મહત્વના છે. એટલું જ નહીં ઘીમાં મળી આવતો એમિનો એસિડ પેટની ચરબીને ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે.
સાંધાના દુખાવામાં રાહત
ઘીનું સેવન કરવાથી તમારા શરીરમાં થતી સાંધાના દુખાવાની તકલીફ ઓછી થાય છે. ઘીમાં વિટામિન કે-ટુ હોય છે. આ વિટામિન શરીરમાં કેલ્શિયમ પહોંચાડવાનું કામ કરે છે જેના કારણે હાડકાઓને મજબૂતી મળે છે. એટલું જ નહીં વાળ અને ત્વચા માટે પણ ઘી ઘણું ફાયદાકારક છે.
યાદશક્તિ વધે છે
દેશી ઘીનાં સેવનથી યાદ શક્તિમાં વધારો થાય છે અને મગજ તેજ થાય છે. સાથે જ ઘીનાં સેવનથી શારિરીક નબળાઈ ઓછી થાય છે અને શરીરમાં સ્ફિૂર્ત રહે છે.