હાલમાં ખાંસી શરદીની સમસ્યા વધી રહી છે. ગળામાં દુખાવો, સતત ખાંસી, કફની આ સમસ્યા અનેક લોકો માટે શરદીની મજા બગાડે છે. વળી સતત ખાંસી ખાવાથી શરીરને પણ ભારે નુકસાન થાય છે. કેટલીક વખત ગળું પણ ખૂબ જ છોલાય છે. ત્યારે આ સમસ્યાનું નિરાકટે તમે નારંગીનો આ ઉપાય કરી શકો છો.
બાફેલી નારંગીના આ ઉપચાર માટે સૌથી પહેલા કરો આટલું
નારંગીમાં પેક્ટિન નામનું એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે
સંતરામાં હાજર એલ્બિડો ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે
ઘણી વખત ખાંસી ખાતા લોકોને રાતે જ ખાંસી આવે છે. જેના કારણે તેમની રાતની ઊંઘ પણ પૂરી નથી થતી. વળી સતત ખાંસી તમે ઓછું બોલતા થઇ જાય છે. તમારા સ્વભાવ પણ ચીડિયો થઇ જાય છે. પણ શરૂઆતી સમસ્યામાં જો તમે આ ઘરેલુ ઉપચાર અપનાવા માંગતો હોવ તો વાંચો આ આર્ટિકલ.
ઉલ્લેખનીય છે કે નારંગીમાં વિટામિન સી મોટી માત્રામાં હોય છે. વળી નારંગીમાં પેક્ટિન નામનું એન્ટીઓક્સીડેંટ પણ હોય છે. જે શરીરમાં કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરે છે. ત્યારે બાફેલી નારંગી માટે સૌથી પહેલા એક વાટકીમાં થોડું પાણી અને મીઠું લઇ તેને મિક્સ કરો અને આ પાણીમાં નારંગીને છોતરા સાથે જ અડધો કલાક સુધી મૂકી રાખો.
તે પછી નારંગીને પાણીમાંથી નીકાળો. તેના ઉપરનો ભાગ ટોપીની જેમ કાપી લો. તે ઉપરના ભાગમાં અનેક કાંણા પાડો. એટલે તેની પર મીઠું નાંખો અને કાપેલા ભાગને ઢાંકી તેની સ્ટીમ કરો. આ પછી નારંગીને 10 થી 20 મિનિટ સ્ટીમ કરો અને તેના પ્લપને ગરમ ગરમ જ ખાઇ લો.
નારંગીને વધુ તાપમાનમાં ગરમ કરવાથી તેમાં રહેલા વિટામિન સીની માત્રા ઓછી થઇ જાય છે. અને સંતરામાં હાજર એલ્બિડો ખાંસીને ઠીક કરવામાં મદદ કરે છે. આ રીતે નારંગીને બાફવાથી બાયોફ્લોવૉનોઇડ સંતરાથી પલ્પમાં જાય છે. અને તે ખાંસી પેદા કરતા બેક્ટેરિયાનો નાશ કરે છે. જો કે આનો ઉપયોગ કરતા પહેલા સંબંધિત જાણકારને સંપર્ક કરો.