વાગવું પડવું કે દાઝી જવું વગેરે જેવી સમસ્યાઓમાં જો તાત્કાલિક ઉપાયો જાણતા હોઈએ તો તરત જ સારવાર થઇ જાય છે. આ જ રીતે જો અચાનક કંઈ વાગી જાય કે પડી જાઓ અને છોલાય જાય કે નાનો-મોટો ઘા થઈ જાય તો તેને ઠીક કરવા માટે કેટલાક ઘરેલૂ નુસખાઓ ખૂબ જ કામ આવે છે. જેમ કે ઘા થયા બાદ પાકે નહીં અને જલ્દી રૂઝાય જાય તે માટે શું કરવું. આજે જાણી લો.
- ઘામાંથી લોહી નીકળતું હોય તો સરકો લગાડવાથી લોહી નીકળતું બંધ થાય છે.
- ઘા કે જખમમાંથી લોહી નીકળતું હોય તો તેના પર મીઠાના પાણીમાં પલાળેલો પાટો બાંધવાથી જખમ પાકતો નથી અને રૂઝ આવે છે.
-વાગેલા ઘા ઉપર હળદર દબાવી દેવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
- હળદરને તેલમાં કકડાવીને તે તેલ ઘા-જખમ પર ચોપડવાથી ન રૂઝાતા ઘા જલદી રૂઝાઈ જાય છે.
- તલ પીસી તેમાં ઘી અને મધ મેળવી ઘા પર ચોપડી પાટો બાંધવાથી ઘા જલદી રૂઝાઈ જાય છે.
- ફૂલાવેલી ફટકડીનો પાઉડર ઘા પર નાખી પાટો બાંધવાથી ઘામાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા પાકતો નથી.
- તુલસીનાં પાન પીસીને ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
- હિંગ અને લીમડાનાં પાન વાટી તેનો લેપ કરવાથી ઘા-જખમમાં રહેલાં બેક્ટેરિયા મરી જાય અને ઘા રૂઝાઈ જાય છે.
- ગાજરને કચરી કોઈ પણ લોટમાં મેળવીને ફોલ્લા તથા બળતરાવાળા ઘા પર બાંધવાથી ઘા રૂઝાઈ જાય છે.
- ફટકડીનું પાણી ડેટોલનું કામ કરે છે. પડી જવાથી હાથ કે પગ છોલાઈ ગયા હોય કે ઇન્ફેક્શન લાગવાની શક્યતા હોય ત્યારે ફટકડીના પાણીથી એ સાફ કરવું જોઈએ. ફટકડીનું પાણી ઇન્ફેક્શન થતાં અટકાવે છે.