હાલ કોરોનાએ કાળો કેર વર્તાયો છે, એવામાં જો નાની નાની સમસ્યામાં ડોક્ટર પાસે ન જવું હોય તો ઘરે જ તેનો ઈલાજ કરી લો. આજે અમે તમને દાદર અને ખંજવાળ માટે બેસ્ટ ઉપાય જણાવીશું.
કોરોના સંકટમાં આ ઘરેલૂ ઉપાય કરશે મદદ
દાદર અને ખરજવાને ઘરે જ કરી દેશે ઠીક
લસણનો આ ઉપાય છે બેસ્ટ
હળદર
હળદરમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોવાથી તે ફંગલ ઇન્ફેકશનને દૂર કરવામાં મદદ કરે છે. કોટન બોલની મદદથી લીલી હળદરનો રસ કાઢી ખંજવાળવાળી જગ્યા પર લગાવો. દિવસમાં 3 વાર લગાવવાથી રાહત મળશે.
લસણનો રસ
લસણમાં એન્ટીફંગલ તત્વ હોય છે. તે કોઇપણ પ્રકારના ફંગલ સંક્રમણને ઠીક કરે છે. લસણને છીલીને તેના ઝીણા ટુકડા અથવા પીસીને પ્રભાવિત જગ્યાએ લગાવો અને ઉપર પટ્ટી બાંધી દો. આ પટ્ટીને આખી રાત રહેવા દેવી. આ ઉપાય રોજ 1 સપ્તાહ સુધી કરો.
એપ્પલ વિનેગર
એપ્પલ સાઇડર વિનેગરમાં કોટન બોલ પલાળી પ્રભાવિત જગ્યાએ દિવસમાં 5 વાર લગાવો. આ ઉપાય ત્રણ દિવસ સુધી કરો.
નારિયેળ તેલ
આ તેલ ખંજવાળથી રાહત અપાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. જ્યાં દાદર કે ખંજવાળ આવતી હોય ત્યાં આખી રાત નારિયેળ તેલ લગાવીને રાખવું.
સરસિયાના દાણા
સરસિયાના દાણાને 30 મિનિટ સુધી પાણીમાં પલાળીને રાખવા, ત્યાર પછી તેને પીસી પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ખંજવાળવાળી જગ્યા પર લગાવો. 15 મિનિટ પછી ધોઈ લો. તમને જરૂર લાભ મળશે.