ડાયાબિટીસ હવે ઉંમર, દેશ અને પરિસ્થિતિની મર્યાદાઓને પાર કરી ચુક્યુ છે. તેના દર્દીઓનો ઝડપથી વધતો આંકડો દુનિયાભરમા ચિંતાનો વિષય છે. ડાયાબિટીસથી બચવા અથવા તેને કન્ટ્રોલમાં રાખવા માટેના કેટલાક દેશી નુસખાઓ પણ જાણવા જેવા છે.
લીંબુ
ડાયાબિટીસના દર્દીઓને તરસ વધુ લાગે છે. વારંવાર તરસ લાગવાની અવસ્થામાં પાણીમાં લીંબુ નિચોવીને પીવાથી તરસ શાંત થાય છે
ખીરા
મધુમેહના દર્દીઓને ભુખ કરતા થોડુ ઓછુ અને હળવુ ભોજન લેવાની સલાહ અપાય છે. આવા સંજોગોમાં વારંવાર ભુખનો અહેસાસ થાય છે. આ સ્થિતિમાં દર્દીઓ ખીરા ખાઇને ભુખ મીટાવી શકે છે.
ગાજર-પાલક
આ રોગીઓએ ગાજર અને પાલકનો રસ મિક્સ કરીને પીવો જોઇએ. તેનાથી આંખોની કમજોરી પણ દુર થાય છે.
જાંબુ
ડાયાબિટીસના ઉપચારમાં જાંબુ એક પારંપરિક ઔષધિ છે. જાંબુને ડાયાબિટીસના દર્દીઓનું જ ફળ કહેવાય છે તેમાં કોઇ અતિશયોક્તિ નથી. કેમે તેના ઠળિયા, છાલ, રસ બધુ જ ડાયાબીટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. મોસમ અનુસાર આ લોકોએ જાંબુનુ સેવન ખુબ કરવુ જોઇએ.
જાંબુની ગોટલી
તેને સંભાળીને એકત્ર કરો. તેના બીજમાં જામ્બોલિન નામનુ તત્વ મળી આવે છે, જે સ્ટાર્ચને શર્કરામાં બદલાતા રોકે છે. જાંબુના ઠળિયાનું બારીક ચુર્ણ બનાવીને રાખી લેવું જોઇએ. દિવસમાં બે-ત્રણ વાર, ત્રણ ગ્રામ પાણી સાથે તેનું સેવન કરવાથી શુગરની માત્રા ઘટે છે.
કારેલા
પ્રાચીન કાળથી ડાયાબિટીસમાં કારેલાનો ઔષધિના રુપમાં પ્રયોગ થાય છે. તેનો કડવો રસ શુગરની માત્રાને ઘટાડે છે. ડાયાબિટીસના દર્દીઓએ રોજ તેનો રસ પીવો જોઇએ. તેનાથી આશ્વર્યજનક લાભ મળે છે. હમણાં હમણાં નવા સંશોધનો અનુસાર કારેલાનું પાણી ડાયાબિટીસને મટાડવાની ક્ષમતા પણ ધરાવે છે.
મેથી
ડાયાબિટીસના ઉપચાર માટે મેથીના દાણાનો પ્રયોગ પણ લાભદાયી છે. હવે તો દવા કંપનીઓ મેથીના પાવડરને બજાર સુધી લઇ આવી છે. તેના કારણે જુનો ડાયાબિટીસ પણ ઠીક થઇ જાય છે. મેથી દાણાનુ ચુરણ બનાવીને રાખી લો. રોજ ખાલી પેટે એક ચમચી ચુર્ણ પાણી સાથે ફાકી લો. થોડા દિવસોમાં તેની અદભુત ક્ષમતા જોઇને તમે દંગ રહી જશો.
શલગમ
ડાયાબિટીસના દર્દીઓ માટે દુધી, પરવર, પાલક, પપૈયુ વગેરનો પ્રયોગ ખુબ લાભદાયી છે. શલગમના પ્રયોગથી લોહીમાં શર્કરાની માત્રા ઘટવા લાગે છે. શલગમનુ શાક, પરાઠા, સલાડ વગેરે ખાઇ શકાય છે.
ઘઉંના જવારા
ઘઉંના છોડમાં રોગનાશક ગુણ હોય છે. ઘઉંના નાના નાના છોડનો રસ અસાધ્ય બીમારીઓને મુળમાંથી ખત્મ કરે છે. તેનો રસ મનુષ્યના રક્તથી ચાળીસ ટકા મેળ ખાય છે. તેને ગ્રીન બ્લડના નામે ઓળખાય છે. જવારાનો તાજો રસ કાઢીને અડધો કપ રોગીને તાત્કાલિક પીવડાવી દો. રોજ સવાર સાંજ અડધો કપ તેનુ સેવન કરો