નાના કે મોટા જેને પણ કાનની સમસ્યા કોઈપણ સમસ્યા થાય તો રહેવાતું નથી. એવામાં કાનના ડોક્ટર પાસે જવામાં પણ ઘણાં લોકોને બીક લાગતી હોય છે. કાનના અનેક રોગો જેવા કે કાનમાં સખત દુખાવો થાય, સાંભળવામાં તકલીફ થાય કે પછી કાનમાંથી રસી આવે, કાનમાંથી પરૂં નીકળવું, કાનમાં સણકા મારવા, કાનમાં જંતુ જવું જેવી સમસ્યાઓ માટે અમે તમને બેસ્ટ નુસખાઓ જણાવીશું.
આ નુસખાઓ કાનની દરેક સમસ્યાનો કરશે ઈલાજ
વાયુ, કફ અને પિત્તના કારણે કાનના રોગો થવાની સંભાવના વધી જાય છે.
અડધી ચમચી ડુંગળીનો રસ અને 2-3 મધનાં ટીપાં મિક્સ કરીને કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે અને પરું નીકળતું હોય તો બંધ થાય છે.
ગાયનું ઘી સાધારણ ગરમ કરી કાનમાં ટીપાં પાડવાથી જીવજંતુ બહાર નીકળી જાય છે.
સફેદ ડુંગળીનો રસ કાનમાં નાખવાથી જંતુ નીકળી જાય છે.
તલના તેલમાં તુલસીનાં પાન નાખી ધીમા તાપે ગરમ કરવું. પાન બળી જાય ત્યારે તેલ ઉતારી ગાળી લેવું. આ તેલનાં બે ચાર ટીપાં કાનમાં નાખવાથી બધા જ પ્રકારનાં કાનનાં દર્દોમાં લાભ થાય છે.
સરસિયાના તેલમાં લસણની 2 કળી ગરમ કરી એક બે ટીપાં સવાર સાંજ કાનમાં નાખવાથી કાનના દુઃખાવામાં તરત જ ફાયદો થાય છે.
આંબાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી કાનના સણકા મટે છે.
નાગરવેલના પાનનો રસ ગરમ કરી તેનાં ટીપાં નાખવાથી કાનનામાં થતો ભયંકર દુઃખાવો મટે છે.
તલના તેલમાં લસણની કળી નાખી કકડાવીને સહેજ ગરમ તેલનાં ટીપાં કાનમાં પાડવાથી કાનનો દુ:ખાવો અને કાનના સણકા મટે છે. કાન પાકતો હોય તો પણ ફાયદો કરે છે.
આદુનો રસ કાનમાં નાખવાથી કાનનો દુખાવો, બહેરાપણું અને કાન બંધ થઈ ગયો હોય તો લાભ થાય છે.
આંકડાના પાનનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની બહેરાશ મટે છે.
કાનની આટલી કાળજી રાખો
કાન ખોતરવા નહીં.
કાનમાં ફૂંક ન મારવી.
ગાલ કે કાન પર થપ્પડ ન મારવી.
માથા પર મારવું નહીં.
ઘોંઘાટથી દુર રહેવું.
નાના બાળકને સ્નાન કરાવતી વખતે કાનમાં પુમડાં નાખી દેવા, જેથી પાણી અંદર ન જાય.