હાલમાં શિયાળો બરાબરનો જામ્યો છે. ત્યારે એક તરફ વાતાવરણ ખુશનુમા બન્યું છે જ્યારે બીજી તરફ બીમારી ફેલાવવાની શરૂ થઇ છે. અત્યારના સમયમાં શરદી, ખાંસી, કફ, ગળામાં ઇન્ફેક્શન અને સોજો, તાવ જેવી સમસ્યાઓ ઉદભવે છે. આ બધાથી બચવા આપણા શરીર માટે ઘરેલુ ઉપાયો ખૂબ જ લાભકારી સાબિત થાય છે. આટલી બાબતોનું ધ્યાન રાખશો તો આ સિઝનમાં પણ વાંધો નહી આવે.
ઘરગથ્થુ ઉપચારથી મટાડો શરદી ખાંસી
ઘરેલુ ઉપચાર કરવાના અઢળક ફાયદા
મધ અને લીંબુનો ઉપયોગ અસરદાર
એક ગ્લાસ પાણીમાં એક નાનકડી ચમચી તજ પાઉડર, વાટેલાં કાળાં મરીનો પાઉડર અને અડધી ચમચી મધ નાખીને આ મિશ્રણ અડધું રહે ત્યાં સુધી ઉકાળો અને થોડુ ઠંડું થતાં પી લો. આ પીવાથી તાવ, શરદીમાં રાહત મળે છે.
બે ગ્લાસ પાણીમાં બે ચમચી મેથીદાણા નાખીને ઉકાળો. જ્યારે પાણી અડધું રહી જાય તો તેમાં એક નાનકડી ચમચી હળદર અને મીઠું મિક્સ કરો. દિવસમાં ત્રણથી ચાર વાર કોગળા કરવાથી ગળાનો દુખાવો દૂર થઈ જાય છે
એક ચમચી મધમાં અડધી ચમચી લીંબુનો રસ મિક્સ કરીને રોજ રાત્રે પીવાથી શરીરમાં થતો દુખાવો તેમજ ચામડીના રોગોમાં રાહત મળે છે.
રાત્રે સૂતા પહેલા એક ચમચી મધ પીઓ. તેમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોવાને કારણે તે ગળાનો દુખાવો દૂર કરવામાં મદદ કરે છે.
આદું, ગોળ, મરી, તુલસી, લવિંગનો ઉકાળો બનાવી પીવાથી ખૂબ ફાયદો થાય છે. કાઢો પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે તેમજ સ્નાયુઓ મજબૂત થાય છે
એક ગ્લાસ પાણીમાં છથી સાત લવિંગ નાખીને ઉકાળીને પીવાથી બેસેલો અવાજ ખૂલી જાય છે, તેમજ શરદી-ઉધરસ પણ ઓછી થઇ જાય છે.
એક કપ પાણીમાં થોડો કાળા મરી પાઉડર, છીણેલું આદું, ચપટી હળદર અને મધ મિક્સ કરીને ત્રણથી ચાર મિનિટ ઉકાળી લો. દિવસમાં ત્રણ-ચાર વાર પીવાથી ગળામાં થતાં ઈન્ફેક્શનમાં રાહત મળે છે