આયુર્વેદમાં ઘણી એવી જડીબૂટીઓ છે જે શરીરની ગંભીર સમસ્યાઓને ઠીક કરવામાં મદદ કરે છે. ઘણાં લોકો ઘરના જ ઉપાયોથી તેમની તકલીફો મટાડવાનો પ્રયત્ન કરતાં હોય છે, કારણ કે ઘરેલૂ ઉપાયો ઘણાં જ કારગર પણ હોય છે. જેથી આજે અમે તમને પેઢામાંથી લોહી આવવું કે પછી દાંતમાં સડો થતાં રોકવા અને દાંતને સફેદ કરવા માટે બેસ્ટ આયુર્વેદિક પાઉડર વિશે જણાવી રહ્યાં છે. આ પાયોરિયાની સમસ્યાનો બેસ્ટ ઈલાજ છે.
દાંતની સમસ્યાઓમાં બેદરકારી કરવી નહીં
પેઢામાંથી લોહી આવતું હોય તો તરત જ આ ઉપાય કરો
ઓરલ ઈન્ફેક્શન અને દાંતના સડાથી બચાવશે આ આયુર્વેદિક પાઉડર
આ પાઉડરનો ટૂથપેસ્ટની જેમ ઉપયોગ કરવાનો છે. તેના માટે સૌથી પહેલાં થોડાં પાણીમાં ઉપરોક્ત તમામ વસ્તુઓ મિક્સ કરીને પેસ્ટ જેવું બનાવી લો. ધ્યાન રાખવું કે પેસ્ટ વધુ પાતળી ન થઈ જાય. પછી રોજ સવારે અને રાતે જમ્યા પછી આ આયુર્વેદિક પેસ્ટથી તમારા દાંત અને પેઢાં સારી રીતે સાફ કરો અને હળવા હાથથી મસાજ કરો. આ પેસ્ટનો એક સપ્તાહ સુધી નિયમિત ઉપયોગ કર્યા બાદ તમને અસર દેખાશે.
અશ્વગંધાના ફાયદા
અશ્વગંધા બેસ્ટ જડીબૂટી છે. તે પુરૂષોની યૌન શક્તિ તો વધારે જ છે, સાથે જ ઓલર હેલ્થ માટે પણ બહુ જ લાભકારી છે. તે દાંત અને પેઢાની સમસ્યા દૂર કરે છે. દાંતમાં સડો થતાં રોકે છે અને દાંતને સફેદ અને ચમકીલા પણ બનાવે છે. અશ્વગંધામાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે જે પેઢાના રોગ દૂર કરે છે. જે લોકો પાયોરિયાથી પરેશાન છે તેમના માટે પણ આ બેસ્ટ ઉપાય છે. આનાથી પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યામાં તરત આરામ મળે છે.