જેમને કોરોના વાયરસના ભયથી હોમ ક્વોરેન્ટાઈનમાં રહેવાનું કહેવામાં આવ્યું છે તેઓએ ગભરાવવાની જરૂર નથી. આ લૉકડાઉનનો જ એક પ્રકાર છે. આમાં સામાન્ય રૂટિન અપનાવો અને એવો ખોરાક લો જે રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. તમારા પર પાબંધી છે તો ફક્ત ઘરની બહાર ન નીકળવાની.
હોમ ક્વૉરન્ટાઈનમાં કરી લો આ કામ
સામાન્ય દિનચર્યાની સાથે અપનાવો ખાસ ફૂડ
ઘરની બહાર નીકળવા સિવાય કરો આ કામ
કોરોનાના સંકટમાં જે લોકો શંકાસ્પદ જણાય છે તેમને હોમ ક્વૉરન્ટાઈન કરવામાં આવે છે. આ સમયે તેમને 14 દિવસ સુધી હેલ્થ વિભાગની નજરમાં રાખવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસ 14 દિવસમાં ફરી ગમે ત્યારે પ્રભાવી થઈ શકે છે. આ સમયે બચાવ, ઉપાય અને સારવાર જરૂરી છે.
દાળ, લીબું અને લીલા શાકનું કરો સેવન
કોરોના વાયરસથી બચવામાં સૌથી જરૂરી છે કે રોગ પ્રતિકારક શક્તિને વધારવી. આ સમયે લોકોએ સફરજન, નારંગી, દાડમ, પપૈયુ, દ્રાક્ષનો ઉપયોગ વધારે પ્રમાણમાં કરવો. ભોજનમાં દાળ, લીંબુ, પાલક સહિત અન્ય અનેક લીલા શાકનો ઉપયોગ કરો. ડ્રાય ફ્રૂટ્સ લો. તેનાથી શરીરમાં પૂરતા પ્રમાણમાં વિટામિન સી અને અન્ય તત્વો પહોંચશે. આ પ્રકારનો ખોરાક તમારી રોગ પ્રતિકારક શક્તિને પણ વધારશે.
માઈન્ડ ફ્રેશ કરવા કરો આ કામ
માનસિક રીતે ફ્રેશ થવા માટે તમે તમારી પસંદનું કે પછી હળવું સંગીત સાંભળી શકો છો. પેઈન્ટિંગ કરી શકો છો. ઘરમાં બગીચામાં ખેતી કરી શકો છો અને સાથે રૂમમાં ડેકોરેશન પણ કરી શકો છો. પુસ્તકો વાંચી શકો છો અને લખવાનો શોખ હોય તો કોઈ વાર્તા પણ લખી શકો છો. ફોન પર મિત્રો સાથે વાત કરી સકો છો અને સાંજે હૂંફાળા પાણીથી નહાવાનું કામ કરી શકો છો. આ સાથે પૂરતી ઊંઘ પણ લઈ શકો છો.