મંત્રીમંડળની રચના બાદ હવે મંત્રાલયની ફાળવણીને લઇને ચર્ચાઓ તેજ છે. ત્યારે મહત્વના 4 ખાતાઓ કોને મળશે તેને લઇને ચર્ચા શરૂ થઇ છે છે અને ગૃહ મંત્રાલય, રક્ષા મંત્રાલય કોને મળશે તેની અટકળો પણ થઇ રહી છે. તો નાણાં મંત્રાલય અને વિદેશ મંત્રાલયને મુદ્દે પણ કેટલાક નામો સામે આવી રહ્યા છે.
જો ગૃહ મંત્રાલયની વાત કરીએ તો રાજનાથ સિંહ ગૃહમંત્રી તરીકે યથાવત રહે તેવી પૂરે પૂરી શક્યતા છે. જ્યારે અમિત શાહને રક્ષા અથવા નાણા મંત્રાલય મળી શકે તેમ છે. જ્યારે વિદેશ મંત્રી તરીકે એસ. જયશંકરનું નામ સૌથી આગળ છે.
તો નિર્મલા સિતારમણને રક્ષા અથવા નાણાં મંત્રાલય મળી શકે તેવી શક્યતા છે. જ્યારે રવિશંકર પ્રસાદને વાણિજ્ય વિભાગ સોંપવામાં આવી શકે છે અને અમેઠીમાં રાહુલ ગાંધીને હરાવ્યા બાદ સ્મૃતિ ઇરાનીનું પણ કદ વધ્યું છે જેને લઇ તેમને સૂચના પ્રસારણ સહિત અન્ય એક મંત્રાલય સોંપાય તેવી શક્યતા છે.
આ વખતે સુષ્મા સ્વરાજ જેવા વરિષ્ઠ નેતાને તેમના સ્વાસ્થ્યના લીધે મંત્રીમંડળમાં જગ્યા મળી નથી. આ સિવાય એમ પણ મનાય છે કે મોદીએ એ ઝલક દેખાડી છે કે હવે વિદેશ મંત્રાલયમાં એક નવી વિચારની જરૂરિયાત મહેસૂસ થઇ રહી છે. પૂર્વ વિદેશ સચિવ એસ.જયશંકર વિદેશ મંત્રાલયની જવાબદારી સંભાળી શકે છે. મોદી જયશંકરને ત્યારથી જાણે છે જ્યારથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને જયશંકર પણ આર્થિક-રાજકીય જરૂરિયાતોને સમજતા રણનીતિક રીતે વડાપ્રધાનની વિદેશ નીતિને પણ બખૂબીથી સમજે છે.
જયશંકરનો અનુભવ ભારતના અમેરિકાના સાથો સાથ એશિયા પ્રશાંત મહાસાગરના દેશો સાથે સંબંધ વધુ ગાઢ કરવામાં કામ આવશે. નજીકના સૂત્રોનું માનીએ તો પાછલી સરકારમાં કાયદા મંત્રી રહી ચૂકેલા રવિશંકર પ્રસાદને આ વખતે વાણિજય મંત્રાલયની જવબદારી મળી શકે છે.
આ ઉપરાંત સંભાવનાઓ એ પણ છે કે પૂર્વ રાજનયિક હરદીપ સિંહ પુરી તેમણે રાજ્ય મંત્રી સ્વતંત્ર પ્રભાર તરીકે કેબિનેટમાં જગ્યા મળી છે, તે પણ આ પદ પર નિમણૂક થઇ શકે છે. પુરીને આંતરરાષ્ટ્રીય વેપાર અને વ્યવાસિયક મુદ્દાની ઊંડી સમજ છે.