સમાચાર એજન્સી ANIએ તેના ટ્વિટર હેન્ડલ પર જણાવ્યું હતું કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તા દ્વારા દિલ્હી સરકારના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા તેમને મોકલાયેલા પત્રના તમામ આરોપોને રદિયો આપ્યો હતો. ANIના જણાવ્યાનુસાર કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીમાં ટેસ્ટિંગ ઘટાડવાના લગાડેલ આરોપોને મંત્રાલય નકારે છે.
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે કહ્યું, પત્રમાં લગાવેલા આરોપો ખોટા છે
સૂચિત પત્રમાં મંત્રાલય ઉપર દિલ્લીમાં ટેસ્ટિંગ ન વધારવાનો આક્ષેપ કરાયેલો
સમાચાર એજન્સી ANIના હવાલે થી જાણવા મળ્યું હતું કે ગૃહ મંત્રાલય દ્વારા દિલ્લી સરકારના નામે મોકલાયેલ પત્રમાં કેન્દ્રીય ગૃહ મંત્રાલય પર જે આરોપો લગાડવામાં આવ્યા હતા તેને નકારવામાં આવ્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે દિલ્લી સરકાર દ્વારા એક પત્ર કેન્દ્રીય ગૃહ સચિવને એક પત્ર મોકલાયો હતો જેમાં ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હીમાં કોવિડ ટેસ્ટિંગ ઘટાડવાનું દબાણ કરાયાનો આક્ષેપ કરાયા હતા.
Allegation raised in the letter of the Delhi Health Minister dated August 27 which is addressed to Union Home Secretary, to the effect that MHA is putting pressure on Delhi Govt officers not to increase testing in Delhi is false and baseless: Home Ministry pic.twitter.com/GvBeFx7WFE
સમાચાર એજન્સી ANIએ કેન્દ્રીય ગૃહ મંત્રાલયના પ્રવક્તાના ટ્વિટની તસવીર શેર કરી હતી, જેમાં મંત્રાલયના પ્રવક્તા દિલ્લી સરકારના સ્વાસ્થ્ય વિભાગ તરફથી 27 ઓગસ્ટના રોજ ગૃહ મંત્રાલયના સચિવને સંબોધીને લખાયેલા પત્ર વિશે સ્પષ્ટીકરણ આપી રહ્યા હતા.
આ પત્રમાં ગૃહ મંત્રાલય ઉપર એવો આરોપ લગાડવામાં આવી રહ્યો હતો કે મંત્રાલય દ્વારા દિલ્લી સરકારને કોરોનાના ટેસ્ટિંગ ન વધારવા માટે દબાણ કરવાંઅ આવી રહ્યું હતું. જેને ગૃહ મંત્રાલયે ખોટ ગણાવ્યા હતા. ગૃહ મંત્રાલયના પ્રવક્તાએ એક ટ્વિટમાં કહ્યું હતું કે દિલ્લીમાં જ્યાં એક બાજુ જૂનમાં 4000 જેટલા ટેસ્ટિંગ રોજ થતાં હતા તેની જગ્યાએ રોજના 18000 થી 20000 સુધી ટેસ્ટિંગની લિમિટ વધારવામાં આવી હતી જેના લીધે કોરોનાને કાબૂમાં લેવામાં મદદ મળી હતી.
આમ ગૃહ મંત્રાલય દ્વારા દિલ્હી સરકારના સૂચિત પત્રના આરોપોને ફગાવાયા હતા.