પશ્ચિમ બંગાળમાં વિધાનસભા ચૂંટણી બાદથી ફાટી નીકળેલી હિંસા પર કેન્દ્ર સરકાર હવે કડક થઈ છે.
પશ્ચિમ બંગાળમાં પરિણામો આવ્યા બાદથી જ હિંસા
કેન્દ્ર સરકાર હવે થઈ કડક, ફરી લખ્યો પત્ર
તાત્કાલિક પગલાં ભરવા તથા રિપોર્ટ આપવા આદેશ
રિપોર્ટ ન આપવામાં આવે તો મામલો ગંભીરતાથી લઈશું : કેન્દ્ર સરકાર
ગૃહમંત્રાલયે ફરી લખ્યો પત્ર
કેન્દ્રીય ગૃહમંત્રાલયે બુધવારે પશ્ચિમ બંગાળ સરકારને સ્મરણ પત્ર લખ્યો છે અને રાજ્યમાં ચૂંટણી બાદ થયેલી હિંસા પર વિસ્તૃત રિપોર્ટ આપવા માટે કહ્યું છે. પત્ર અનુસાર રાજ્ય સરકાર દ્વારા રિપોર્ટ ન મોકલવામાં આવે તો પછી આ વ્યવહારને ગંભીરતાથી લેવામાં આવશે.
કડક વલણ અપનાવ્યું
આ સાથે જ કેન્દ્ર સરકાર આવી ઘટનાઓને રોકવા માટે તાત્કાલિક પગલાં ભરવા માટે પણ આદેશ કર્યા છે. નોંધનીય છે કે ગૃહમંત્રાલય દ્વારા પહેલા પણ રિપોર્ટ માંગવામાં આવ્યો હતો પરંતુ રાજ્ય દ્વારા આપવામાં આવી નથી. એવામાં કેન્દ્ર સરકારે હવે કડક વલણ અપનાવ્યું છે.
મામલાને ગંભીરતાથી લેવામાં આવશે : કેન્દ્ર
પત્રમાં આપવામાં આવેલ સૂચના આપવામાં આવી છે કે જૉ રાજ્યમાં હિંસાની ઘટનાઑ નહીં રોકાય તો માનવામાં આવશે કે રાજ્ય સરકાર દ્વારા જરૂરી પગલાં લેવામાં આવ્યા નથી. કેન્દ્ર સરકારે આદેશ કર્યો છે કે સમય ગુમાવ્યા વિના આ ઘટનાઓને રોકવી જોઈએ તથા તાત્કાલિક વિસ્તૃત રિપોર્ટ આપવી જોઈએ.
બંગાળ બની ગયું છે બદલાપુર
નોંધનીય છે કે રવિવારે પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવ્યા બાદથી જ રાજ્યમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ બગડી હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે, ભાજપ દ્વારા મમતા બેનર્જીના કાર્યકર્તાઓ પર હિંસાનો આરોપ લગાવવામાં આવ્યો છે જ્યારે મમતા બેનર્જીએ મુખ્યમંત્રી પદના શપથ લીધા બાદ કહ્યું છે એક હિંસાને સાંખી લેવામાં આવશે નહીં.