ભારતના પડોશી દેશ મ્યાનમારથી આવેલા રોહિંગ્યા સાથે જોડાયેલા સવાલ પર ગૃહ મંત્રાલયે કહ્યું કે જે શખ્સની પાસે જરુરી ડોક્યુમેન્ટ નથી તેમને પાછા મોકલી દેવાના નિયમ છે.
રોહિંગ્યાને પાછા મોકલી દેવાના વિસ્તૃત નિર્દેશ આપવામાં આવ્યા
એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું
આ કારણે રોહિંગ્યાની સંખ્યા નિર્ધારિત ન કરી શકાય
રોહિંગ્યાને પાછા મોકલી દેવાના વિસ્તૃત નિર્દેશ આપવામાં આવ્યા
બજેટ સત્ર દરમિયાન સાંસદ કિરોડી લાલ મીણાના સવાલ પર રાજ્યસભામાં ગૃહમંત્રાલયે કહ્યું કે આ નિયમો હેઠળ વર્ષ 2014 અને વર્ષ 2019માં તમામ રાજ્યના રોહિંગ્યાને પાછા મોકલી દેવાના વિસ્તૃત નિર્દેશ આપવામાં આવ્યા છે.
એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું
મનાઈ રહ્યું છે કે ગેરકાયદેસર રીતે રહી રહેલા રોહિંગ્યાને પાછા મોકલવાના આદેશ નિર્વાસન પ્રત્યેપણ નિયમ હેઠળ કરવામાં આવ્યા છે. અયોગ્ય રીતે રહી રહેલા રોહિંગ્યા સાથે જોડાયેલા એક સવાલના જવાબમાં ગૃહ મંત્રાલયે રાજ્યસભામાં કહ્યું કે રોહિંગ્યા, જમ્મુ કાશ્મીર, તેલંગાણા, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, રાજસ્થાન, તમિલનાડુ, પશ્ચિમ બંગાળ, આસામ, કર્ણાટક અને કેરલમાં રહી રહ્યા છે.
આ કારણે રોહિંગ્યાની સંખ્યા નિર્ધારિત ન કરી શકાય
મંત્રાલયે કહ્યું કે જેમની પાસે કોઈ પણ કાયદેસરના ડોક્યુમેન્ટ નથી એનાથી સ્પષ્ટ છે કે ગેરકાયદેસર રીતે રહી રહેલા રોહિંગ્યાની સંખ્યા નિર્ધારિત ન કરી શકાય.
કોણ છે રોહિંગ્યા?
મ્યાનમારની મોટાભાગની આબાદી બોદ્ધ છે. મ્યાનમારમાં એક અનુમાન મુજબ 10 લાખ રોહિંગ્યા મુસલમાન છે. આ મુસલમાનો વિશે કહેવામાં આવે છે કે તે મુખ્ય રુપે ગેરકાયદેસરના બાંગ્લાદેશી પ્રવાસી છે. સરકારે તેમને નાગરિકતા આપવાથી ઈનકાર કરી દીધો છે. જો કે મ્યાનમારમાં પેઢીઓથી રહી રહ્યા છે. રખાઈન સ્ટેટમાં 2012માં સાંપ્રદાયિક હિંસા ચાલૂ છે. આ હિંસામાં મોટી સંખ્યામાં લોકોના જીવ ગયા છે અને 1 લાખથી વધારે લોકો વિસ્થાપિત થયા છે. મોટી સંખ્યામાં રોહિંગ્યા મુસલમાનો આજે જર્જર કેમ્પોમાં રહી રહ્યા છે . રોહિંગ્યા મુસલમાનોના વ્યાપક પાયા પર ભેદભાવ અને દુવ્યવહારનો સામનો કરવો પડી રહ્યો છે. લાખોની સંખ્યામાં વગર દસ્તાવેજે રોહિંગ્યા બાંગ્લાદેશમાં રહી રહ્યા છે. જેમણે દશકો પહેલા મ્યાનમાર છોડી દીધું હતુ.