ગૃહ મંત્રાલયની રિપોર્ટમાં કોરોનાને લઈને કહેવામાં આવ્યું છે કે ઓક્ટોબરમાં ફરી કેર વર્તાઈ શકે છે, પણ બાળકોને લઈને આપણી કોઈ તૈયારી નથી.
નીતિ આયોગે કોરોનાને લઈને ફરી ચેતવ્યા
ત્રીજી લહેર દરમિયાન બાળકો માટે વધારે સંકટની આશંકા
બાળકોને લઈને આપણી કોઈ તૈયારી નથી
નીતિ આયોગે કોરોનાને લઈને ફરી ચેતવ્યા
નીતિ આયોગ તરફથી હાલમાં જ કોરોનાના વધતા કેસને લઈને ચતવવામાં આવ્યા છે. આ સાથે હવે ગૃહ મંત્રાલયના નિર્દેશનમાં ગઠિત નેશનલ ઈન્સ્ટીટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટના વિશેષજ્ઞોની કમિટીએ ભારે ચોંકાવનારી રિપોર્ટ રજૂ કરી છે. તેમના અનુસાર ઓક્ટોબરમાં દેશમાં કોરોના સંક્રમણ પીક પર હશે. ત્યારે કોરોનાની ત્રીજી લહેર પણ શક્ય છે. ત્રીજી લહેર દરમિયાન બાળકો માટે વધારે સંકટની આશંકા છે.
રિપોર્ટને પીએમઓને મોકલવામાં આવ્યો
કોરોના સંક્રમણ પર એક ન્યૂઝ પેપરના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જો બાળકો મોટી સંખ્યામાં કોરોના સંક્રમણથી સંક્રમિત થાય છે તો તેમના માટે બાળ ચિકિત્સા સેવાઓ જેમ કે ડોક્ટર, મેડિકલ સ્ટાફ, વેન્ટિલેટર અને એમ્બ્યૂલન્સ જેવી સુવિધા ક્યાંય નથી. આ રિપોર્ટને પીએમઓને મોકલવામાં આવ્યો છે.
આ સાથે નીતિ આયોગના સભ્ય વીકે પોલની પ્રમુખતાવાળા ગ્રુપે પાછળના મહિને સરકારને સલાહ આપી હતી કે જો ભવિષ્યમાં કોવિડ 19ના મામલા વધે છે તો પ્રતિ 100 મામલામાં 23 મામલામાં હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર પડશે. અંગ્રેજી અખબારની રિપોર્ટ અનુસાર આ અનુમાન સપ્ટેમ્બર 2020માં બીજી લહેરના પહેલા ગ્રુપ દ્વારા આપવામાં આવેલા અનુમાનથી વધારે છે. જ્યારે આનાથી ગણના કરવામાં આવી હતી કે ગંભીર અથવા મધ્યમ ગંભીર લક્ષણો વાળા લગભગ 20 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવાની જરુર રહેશે.
બીજી લહેરમાં આ હતી સ્થિતિ
કોવિડ 19ની બીજી લહેર બાદ મોટી સંખ્યામાં હોસ્પિટલના બેડને અલગ સ્તરથી નિર્ઘારિત કરવાની ભલામણ આ વર્ષે એપ્રિલ- જૂનમાં જોવા મળેલા પેટર્ન પર આધારિત છે. કથિત રીતે પોતાના પીકના સમયમાં 1 જૂનને દેશ ભરમાં સક્રિય કેસ લોડ 18 લાખ હતો. ત્યારે 21.74 ટકા કેસમાં મોટાભાગના મામલાવાળ 10 રાજ્યોમાં હોસ્પિટલમાં દાખલ થવાની જરુર પડી હતી. જેમાંથી 2.2 ટકા લોકો આઈસીયૂમાં દાખલ હતા.
સારી સ્થિતિ માટે આપણે લોકોએ તૈયાર રહેવું જોઈએ- નીતિ આયોગ
નીતિ આયોગમાં કહેવામાં આવ્યું છે કે સારી સ્થિતિ માટે આપણે લોકોએ તૈયાર રહેવું જોઈએ. આયોગ દ્વારા એક દિવસમાં 4થી5 લાખ કોરોનાના કેસનું અનુમાન લગાવવામાં આવ્યું છે. આ સાથે કહેવામાં આવ્યું છે કે આવતા મહિને 2 લાખ આઈસીયૂ બેડ તૈયાર કરવા જોઈએ. જેમાં વેન્ટિલેટરની સાથે 1.2 લાખ આઈસીયૂ બેડ, 7 લાખ આઈસીયૂ વગરના હોસ્પિટલ બેડ (જેમાંથી 5 લાખ ઓક્સિજનવાળ બેડ) અને 10 લાખ કોવિડ આઈસોલેશન કેર બેડ હોવા જોઈએ.