દેશભરમાં કોરોના વાયરસની મહામારીના કહેર વચ્ચે શરૂઆતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. જો કે ત્યારબાદ દેશમાં અનલોક હેઠળ તબક્કાવાર છૂટછાટ આપવામાં આવી. જો કે દેશના કેટલાંક વિસ્તારોમાં કોરોનાના વધતા સંક્રમણને લઇને સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરવામાં આવે છે. જો કે હવે ગૃહમંત્રાલયના આદેશ મુજબ કોઇપણ રાજ્ય કેન્દ્રની મંજૂરી વગર લોકડાઉન જાહેર કરી શકશે નહીં.
દેશમાં કે રાજ્યમાં નથી થવાનું કોઈ જ પ્રકારનું લોકડાઉન
કેટલાક વિસ્તારમાં સ્વયંભૂ લોકડાઉનની વાતો સાચી
સ્વયંભૂ લોકડાઉન એટલે દેશ પણ લોકડાઉન તરફ એવુ માનશો નહી
હાલમાં દેશના કેટલાક વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા સ્વયંભુ લોકડાઉન અંગેની જાહેરાત કરવામાં આવે છે. ત્યારે દેશની જનતા વચ્ચે એવી અટકળો આવી રહી હતી કે દેશમાં ફરી લોકડાઉન લાગુ કરવામાં આવી શકે છે. જો કે આ અંગે કેન્દ્રીય ગૃહમંત્રાલયે સ્પષ્ટતા કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રાલયે લોકડાઉનને લઇને સ્પષ્ટતા કરી છે કે દેશના કેટલાક વિસ્તારોમાં સ્વયંભુ લોકડાઉન લગાવામાં આવ્યું છે, આ વાત સાચી છે. પરંતુ સ્વયંભુ લોકડાઉન એટલે દેશ પણ લોકડાઉન તરફ છે એવું માનશો નહીં.
ગૃહમંત્રાલયના જણાવ્યું અનુસાર દેશ કે કોઇપણ રાજ્યમાં કોઇપણ પ્રકારનું લોકડાઉન થવાનું નથી. સરકાર આ અંગે અનેક વખત સ્પષ્ટતા કરી ચૂકી છે. કેન્દ્ર દ્વારા અનલોક-4માં તમામ રાજ્યોને ગૃહમંત્રાલયે સ્પષ્ટ આદેશ આપ્યો છે કે કોઇપણ રાજ્ય ગૃહમંત્રાલયની મંજૂરી વિના લોકડાઉન લાદી શકે નહીં.