ગૃહમંત્રાલયે વંદે ભારત યોજનાના આધારે બિન નિર્ધારિત વ્યાવસાયિક ફ્લાઈટ્સ અને એયર બબલ વ્યવસ્થા માટે શનિવારે માનક સંચાલન પ્રોટોકોલ એટલે કે SOP જાહેર કરી છે. એર બબલ વ્યવસ્થા બંને દેશોની વચ્ચે વ્યાવસાયિક મુસાફરો માટે પરિચાલન ફરીથી પ્રારંભ કરવાની અસ્થાયી વ્યવસ્થાને કહેવામાં આવે છે.
ગૃહમંત્રાલયે જાહેર કરી SOP
વિદેશી મુસાફરો માટે રહેશે આ નિયમો
જાણો કયા દેશો સાથે કરાઈ છે આ ખાસ વ્યવસ્થા
મંત્રાલયે કહ્યું કે SOPના આધારે વંદે ભારત મિશનની ફ્લાઈટ્સના માધ્યમથી ભારત આવવા ઈચ્છતા લોકો આ દેશમાં રહેતા પોતાના ભારતીય મિશનની પાસે નોંધણી કરાવી શકશે. તેઓ જ્યાં ફસાયા છે અથવા રહે છે ત્યાંથી જ તેમને વ્યવસ્થા પૂરી પાડવામાં આવશે. જો કે એર બબલ વ્યવસ્થાના આધારે જે ફ્લાઈટ્સનું સંચાલન થશે તેને માટે નોંધણી કરાવવાની રહેશે નહીં.
ભારતે અત્યારે અમેરિકા, બ્રિટન, જર્મની, ફ્રાંસ, કતર, માલદીવ અને સંયુક્ત અરબ અમીરાતની સાથે એર બબલ વ્યવસ્થા શરૂ કરી છે. જેમાં 13 અન્ય દેશોની સાથે પણ આ મુદ્દે વાતચીત ચાલી રહી છે.