ગૃહમંત્રાલયે જમ્મૂ કાશ્મીરમાંથી સુરક્ષા ઘટાડવાનો નિર્ણય લેતા અર્ધસૈનિક દળોની 72 ટુકડીઓ હટાવવાનો નિર્ણય કર્યો છે. કાશ્મીરથી 5 ઓગસ્ટથી કલમ 370 હટાવ્યા બાદ પરિસ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે ભારે સંખ્યામાં સેનાની તૈનાતી કરવામાં આવી હતી.
જમ્મૂ કાશ્મીરથી સુરક્ષા ઘટાડવાનો નિર્ણય
ગૃહ મંત્રાલયે ઘાટીમાંથી 72 ટુકડીઓ હટાવી
જમ્મૂ કાશ્મીરથી કલમ 370 હટાવ્યા બાદ કેન્દ્ર સરકારના નિર્ણય બાદ સંભવિત વિરોધ પ્રદર્શનને જોતા ઘાટીમાં કેન્દ્ર સરકારે કેટલાક પ્રતિબંધ લગાવી દીધા હતા, જેને ધીરે ધીરે હટાવવામાં આવી રહ્યા છે. ગૃહ મંત્રાલય તરફથી આ આદેશ 23 ડિસેમ્બરે જ જાહેર કરવામાં આવ્યો હતો.
કાશ્મીરમાં હવે પરિસ્થિતિ ઝડપથી સામાન્ય થઇ રહી છે. સીઆરપીએફની 24 અને બીએસએફ, આઈટીબીપી(ITBP), સીઆઈએસએફ અને સીએપીએફની 12-12 ટુકડીઓ પરત બોલવવામાં આવશે. કેન્દ્ર સરકારના આ આદેશ તાત્કાલિક લાગૂ થશે.
140 દિવસ બાદ ટ્રેન સેવા શરૂ
આ પહેલા 18 નવેમ્બરે શ્રીનગર અને બનિહાલ વચ્ચે ટ્રેન સેવા શરૂ કરવામાં આવી. કલમ 370 અને 35Aને હટાવ્યા બાદ એટલે 5 ઓગસ્ટથી આ ટ્રેન સેવા રોકી દેવામાં આવી હતી. જેના 104 દિવસ બાદ ફરીથી ટ્રેન સેવાને શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો.
કાશ્મીરમાં ત્રણ મહિનાથી રેલવે સેવા બંધ કરી દેવામાં આવી હતી. જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સંભવિત ખતરાને જોતા રેલવે સેવા બંધ કરી દેવામાં આવી હતી. 10 નવેમ્બરે ટ્રેનોને ટ્રાયલ રનની મંજૂરી આપવામાં આવી હતી અને તેના 11 નવેમ્બરથી સમગ્ર રીતે પુનર્સ્થાપિત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.