બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'સલીમ સુરેશ બનીને પ્રેમનો ખીલવાડ કરશો તો છોડાશે નહીં', લવ જેહાદને પર હર્ષ સંઘવીનો હુંકાર
Last Updated: 12:37 PM, 11 December 2024
રાજ્યમાં લવજેહાદને લઇને થતી કામગીરી અંગે ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યુ કે રાજ્યના ખૂણે-ખૂણે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો દંડો લવજેહાદ સામે મજબૂતાઇથી કામ કરે છે. પોલીસ પણ લવજેહાદ સામે ગંભીરતાથી કામગીરી કરી રહી છે. રાજ્યની ભોળી દીકરીઓ પ્રેમને સૌથી પવિત્ર વ્હવહાર તરીકે ઓળખે છે.
ADVERTISEMENT
7 કેસનું નિવારણ
ભોળી દીકરીઓને ષડયંત્ર કરી ફસાવવામાં આવે તો પોલીસ માત્ર લાલ આંખ જ નહીં કામ પણ કરશે. અમદાવાદ, સુરત, નવસારી, કચ્છ સહિતના જિલ્લાઓમાં લવજેહાદના 7 કેસનું નિવારણ લાવી દીકરીઓનું માતાપિતા સાથે મિલન કરાવ્યું છે. ત્યારે રાજ્યની કોઇપણ દીકરી સાથે સલીમ સુરેશ બનીને પ્રેમનો ખીલવાડ કરશે એને છોડી દેવામાં આવશે નહીં તેવું ષડયંત્રકારીઓને ચીમકી આપી.
ADVERTISEMENT
વધુ વાંચો : હજુય ગુજરાતમાં વધશે ઠંડીનું જોર, 6.4 ડિગ્રી તાપમાન સાથે નલિયા બન્યું સૌથી ઠંડુ શહેર
ગત માસે આ કિસ્સો સામે આવ્યો હતો
પીડિતાના મા બાપે માણાવદરના ઇલિયાસ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. માતા-પિતાએ જણાવ્યું કે, 'બે મહિના પહેલા ઇલિયાસે તેમની પુત્રીનું અપહરણ અને ત્યારથી તે તેની સાથે છે. અમે આ મામલે માણાવદર પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાવી છે'. પોલીસ પર આક્ષેપ કરતા કહ્યું કે, 'આરોપી ક્યાં છે તે પોલીસને ખબર છે છતાં પણ પોલીસ દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી'. લવ જેહાદનો ભોગ બનેલી પીડિતાના માતા પિતાએ સરકાર અને હિન્દુ સંગઠનો પાસે સગીરાને મુસ્લિમ યુવકની ચુંગાલમાંથી મુક્ત કરવવા માગ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સસ્તા રિચાર્જ પ્લાન.. / જિયો યુઝર્સની બલ્લે બલ્લે! 100 રૂપિયાના રિચાર્જ પ્લાનમાં ડેટા-કોલિંગની સાથે મળશે આ ફાયદા
એક વાત કઉં / બહુ ગરમ ચા પીવાની આદત છે? આ રોગ થઇ શકે છે
ADVERTISEMENT